ઉના પહોંચી કેજરીવાલે કહ્યું"સરકાર, ભાજપના ગુંડાઓને બચાવે છે"
આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે ઉનાના સમઢીયાળા પહોંચીને પીડિત દલિતોને મળ્યા હતા. અને તેમની સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. ઉનાના સમઢીયાળામાં પીડિતો સાથે મળીને મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે આનંદીબેનની સરકાર તીખા વાકબાણ છોડતા કહ્યું હતું કે "રાજ્ય સરકાર તેમના ભાજપના ગુંડાઓને બચાવી રહી છે"
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો વર્ષોથી ચામડાનો વ્યવસાય કરે છે. પેઢી દર પેઢીથી ચાલી આવતા આ વ્યવસાયને છોડવા માટે તે હવે આ ધટના બાદ મજબૂર બન્યા છે. ત્યારે જો તે આ વ્યવસાય છોડી દેશો તો પછી તેમનું ઘર કેવી રીતે ચાલશે. વધુમાં તેમણે કહ્યું કે આ લોકો તેમના બાળકોને ભણાવવા માટે લોન લીધી છે પણ તે વ્યવસાય દ્વારા પરત કરવાના હતા પણ હવે તેમનો ભવિષ્યનું શું?
પોલિસ સંડોવણી વગર શક્ય નથી આ બધુ:

કેજરીવાલે કહ્યું કે પોલિસ સંડોવણી વગર આ થવું શક્ય નથી. તેમણે કહ્યું પીડિતોને જે ડંડાથી મારવામાં આવ્યા તે ડંડા પોલિસ ના હતા ત્યારે હાલ ભલે સરકાર તેમની સામે કેસ કરી રહી હોય પણ પાછળથી આ જ સરકાર આ તમામ કેસોને નબળા પાડી દેશે. જો કે મીડિયા સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે આવી પ્રતિક્રિયા આપી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો તેમની પ્રતિક્રિયાને તાળીઓથી વધાવી હતી.
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરી

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિતોની જમીન પણ અહીં હડપવામાં આવે છે અને તેમની પર ખોટા કેસ કરવામાં આવે છે. સાથે જ તેમણે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હું તમારા વતી લડીશ. અને આપણે આ વાતે સાથે મળીને આંદોલન કરીશું.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
