ઉના પહોંચી કેજરીવાલે કહ્યું"સરકાર, ભાજપના ગુંડાઓને બચાવે છે"
આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે ઉનાના સમઢીયાળા પહોંચીને પીડિત દલિતોને મળ્યા હતા. અને તેમની સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. ઉનાના સમઢીયાળામાં પીડિતો સાથે મળીને મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે આનંદીબેનની સરકાર તીખા વાકબાણ છોડતા કહ્યું હતું કે "રાજ્ય સરકાર તેમના ભાજપના ગુંડાઓને બચાવી રહી છે"
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો વર્ષોથી ચામડાનો વ્યવસાય કરે છે. પેઢી દર પેઢીથી ચાલી આવતા આ વ્યવસાયને છોડવા માટે તે હવે આ ધટના બાદ મજબૂર બન્યા છે. ત્યારે જો તે આ વ્યવસાય છોડી દેશો તો પછી તેમનું ઘર કેવી રીતે ચાલશે. વધુમાં તેમણે કહ્યું કે આ લોકો તેમના બાળકોને ભણાવવા માટે લોન લીધી છે પણ તે વ્યવસાય દ્વારા પરત કરવાના હતા પણ હવે તેમનો ભવિષ્યનું શું?
પોલિસ સંડોવણી વગર શક્ય નથી આ બધુ:

કેજરીવાલે કહ્યું કે પોલિસ સંડોવણી વગર આ થવું શક્ય નથી. તેમણે કહ્યું પીડિતોને જે ડંડાથી મારવામાં આવ્યા તે ડંડા પોલિસ ના હતા ત્યારે હાલ ભલે સરકાર તેમની સામે કેસ કરી રહી હોય પણ પાછળથી આ જ સરકાર આ તમામ કેસોને નબળા પાડી દેશે. જો કે મીડિયા સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે આવી પ્રતિક્રિયા આપી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો તેમની પ્રતિક્રિયાને તાળીઓથી વધાવી હતી.
દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરી

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિતોની જમીન પણ અહીં હડપવામાં આવે છે અને તેમની પર ખોટા કેસ કરવામાં આવે છે. સાથે જ તેમણે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હું તમારા વતી લડીશ. અને આપણે આ વાતે સાથે મળીને આંદોલન કરીશું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
