'તપાસ પંચ મોદીને ના બોલાવતું હોય તો મને પણ ના બોલાવે'

તપાસપંચ સમક્ષ રૂબરૂ જુબાની આપવાના બદલે તેમને વીડિયો કોન્ફરન્સ દ્વારા બોલાવવામાં આવે અથવા તો કોર્ટ કમિશન દ્વારા જૂબાની આફવાની સગવડ ઉભી કરવામાં આવે તેવી માંગણી કરતી અરજી આસારામે કરી છે, જે અંગેની પંચની સુનાવણી 23મી સુદી મુલત્વી રાખવામાં આવી છે.
આસારામે પોતાની અરજીમાં કહ્યું હતું કે, રમખાણોના કેસની તપાસ ચલાવનાર જસ્ટિસ નાણાવટી પંચ બિનપાયાદાર આક્ષેપોના કારણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રૂબરૂ બોલાવતું ના હોય અને તેમને રાહત આપતું હોય તો પછી વાઘેલાબંધુઓના બેજવાબદાર આક્ષેપોના આધારે ત્રિવેદી પંચે મને પણ બોલાવવો ના જોઇએ અને મને પણ રાહત આપવી જોઇએ.
જસ્ટિસ ત્રિવેદી તપાસપંચે આસારામ અને તેમના પુત્ર નારાયણ સાંઇને જુબાની આપવા માટે હાજર રહેવા આજે 20 ઓક્ટોબરની મુદત આપી હતી, પરંતુ બન્ને પિતા-પુત્ર પંચ સમક્ષ ઉપસ્થિત રહ્યાં નહોતા, તેમજ તેમના વકિલ પણ કોઇ કારણ સબબ હાજર રહ્યાં નહોતા. આ દરમિયાન તેના વકિલ દ્વારા આપવામાં આવેલી એક અરજીની પંચ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં એવું કારણ રજૂ કરવામા આવ્યું હતું કે, જો નારાયણ સાંઇને જુબાની આપવા માટે બોલાવવામાં આવે તો અસમાજિક તત્વો દ્વારા તેમના પર હુમલો થવાની શક્યતા છે.
અત્રે નોંધનીય છે કે રાણીપ ખાતે રહેતા વાઘેલા પરિવારના બે બાળકો દીપેશ અને અભિષેક સાબરમતી ખાતે આસારામના ગુરુકુળમાં અભ્યાસ કરતા હતા અને બન્ને બાળકો 3 જૂલાઇ 2008ના રોજ ગુમ થયા હતા અને 5મી જૂલાઇના રોજ તેમના મૃતદેહો મળી આવ્યાં હતા. આશ્રમ દ્વારા તાંત્રીક વિધિ માટે આ બન્ને બાળકોની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવી વાઘેલા બંધુઓએ ભૂખ હડતાળ કરી હતી. જેના કારણે સરકાર દ્વારા જસ્ટિસ ત્રિવેદી તપાસપંચની રચના કરી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
