ગુજરાત સરકાર આપશે 1 લાખની લોન, 10 લાખ લોકોને મળશે લાભ, 6 મહિના સુધી હપ્તો નહિ
ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન તેમજ નાના-મોટો ધંધો કરનાર લોકોને ગેરેન્ટી વિના એક-એક લાખ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે.
ગુજરાત સરકારે લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન તેમજ નાના-મોટો ધંધો કરનાર લોકોને ગેરેન્ટી વિના એક-એક લાખ રૂપિયાની લોન આપવાની ઘોષણા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે ફેસબુક લાઈવ દ્વારા ખુદ આનુ એલાન કર્યુ. રૂપાણીએ કહ્યુ કે રાજ્યના લગભગ 10 લાખ લોકોને આર્થિક સંકટમાંથી ઉભારવા તથા તેમના ધંધા તેમજ કારોબાર ફરીથી શરૂ કરવામાં મદદ કરવા માટે સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાયતા યોજના લાવી છે.

3 વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન
મુખ્યમંત્રીએ કહ્યુ કે સરકાર રાજ્યની સહકારી બેંકો, જિલ્લા બેંકોની અઢી હજારથી વધુ શાખાઓ તેમજ ક્રેડિટ સોસાયટીઓ દ્વારા લઘુ ઉદ્યોગ, વેપાર, દુકાન, નાનો-મોટા ધંધો કરીને ગુજરાન ચલાવનાર, ઈલેક્ટ્રીશિયન, કારીગર, શ્રમિકોને 3 વર્ષ માટે 1 લાખ રૂપિયા સુધીની લોન 2 ટકાના વ્યાજો આપશે. આ લોનમાં 6 મહિના સુધી કોઈ ઈએમઆઈ પણ નહિ ચૂકવવી પડે. સહકારી બેંકમાંથી અપાનાર આ લોનનુ બાકીનુ 6 ટકા વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. લોન માટે કોઈ પણ સિક્યોરિટીની જરૂર નથી. માત્ર અરજી કરવા પર બેંકમાંથી આ લોન મળી જશે.

વહેલી તકે શરૂ થશે વેપાર ઉદ્યોગ
તમને જણાવી દઈએ કે પીએમ મોદી દ્વારા આત્મનિર્ભર નામના 20 લાખ કરોડના પેકેજનુ એલાન કરવામાં આવ્યુ હતુ. રૂપાણી સરકાર એ જ રીતે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની ઘોષણા કરી છે.સરકારના જણાવ્યા મુજબ નાના વેપારીઓને માત્ર 2 ટકા વ્યાજ પર 1 લાખ રૂપિયાની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખુદ સીએમ રૂપાણીએ આની ઘોષણા કરી અને રાજ્યમાં વહેલી તકે વેપાર ઉદ્યોહ શરૂ કરવાના સંકેત પણ આપ્યા.

50 દિવસ બાદ રાજકોટમાં શરૂ થયા ઉદ્યોગ
વળી, રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી હોવાના કારણે ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે લૉકડાઉનના લગભગ 50 દિવસ બાદ ગુરુવારથી ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યા છે. શહેરના જીઆઈડીસી, મવડી અને સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ સહિત અલગ અલગ 11 ક્ષેત્રોમાં સ્થિત ઘણા ઉદ્યોગોનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉદ્યોગોને અત્યારે 8 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી શરૂ કરવાની છૂટ મળી છે. જો આવનારા સમયમાં પણ પૉઝિટીવ દર્દી ઓછા રહ્યા તો આ છૂટ વધારવાની સંભાવના પ્રશાસને વ્યક્ત કરી છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
