વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં વિખવાદ આવ્યો સામે
બુધવારે ગુજરાત ભાજપની અંદરનો વિખવાદ પ્રકાશમાં આવી ગયો.
અમદાવાદઃ હાર્દિક પટેલ સાથે જોડાયેલ પાટીદાર આંદોલન પર પ્રતિસ્પર્ધાત્મક સક્રિતાઓના કારણે બુધવારે ગુજરાત ભાજપની અંદરનો વિખવાદ પ્રકાશમાં આવી ગયો. રાજ્યના પક્ષ પ્રવકતા યજ્ઞેશ દવેએ રાહુલ ગાંધી પર દલિત કાર્યકર્તા જિજ્ઞેશ મેવાણીની મંગળવારની રેલીમાં તેમની પ્રશંસા કરવા માટે જાતિવાદી હોવાનો આરોપ લગાવ્યો. જ્યારે રાજ્ય કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અવગણના કરી હતી.

યજ્ઞેશ દવેએ કહ્યુ કે, 'કોંગ્રેસમાં ભયંકર જાતિવાદ ચાલી રહ્યો છે. રાહુલ ગાંધીએ જિજ્ઞેશ મેવાણીના નામનો ઉલ્લેખ કર્યો જ્યારે હાર્દિક પટેલે જિજ્ઞેશ મેવાણી કરતા વધુ સમય જેલમાં પસાર કર્યો છે.' જોકે, ભાજપના બે નેતાઓ વરુણ પટેલ અને ચિરાગ પટેલે દવેના નિવેદનનો વિરોધ કર્યો હતો. આ બંને પટેલો પાટીદાર આંદોલન બાદ ભાજપમાં જોડાયા હતા. ચિરાગે ટ્વીટ કર્યું: "પાટીદાર આંદોલન દરમિયાન હું જેલમાં પણ રહ્યો છું. હાર્દિકના વખાણ કરવાને બદલે અમારા પ્રત્યે થોડી સહાનુભૂતિ અને પ્રેમ પણ બતાવો.












Click it and Unblock the Notifications
