જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ કોરોનાથી મોત, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ.
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાની નિધનની સૂચના આપી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે 89 વર્ષીય દારૂવાલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા અનુસાર અમદાવાદ નગર નિગમે ગઈ 22 મેના રોજ તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ કરી હતી.
સમાચારો અનુસાર તે છેલ્લા એક અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એક અઠવાડિયાથી તે વેંટીલેટર પર હતા. જો કે તેમના દીકરા નાસ્તુર દારૂવાલાએ કોરોનાથી મોત થઈ હોવાનો ઈનકાર કર્યો છે. દીકરાના જણાવ્યા અનુસાર તેમના પિતા બેજાન દારૂવાલાનુ મૃત્યુ ન્યૂમોનિયા અને ઑક્સિજનની કમીના કારણે થયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
તમને જણાવી દઈએ કે જ્યોતિષી દારૂવાલા ભારત જ નહિ પરંતુ આખી દુનિયામાં ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા હતા. દુનિયાના દરેક દેશમાં લાખોની સંખ્યામાં તેમના ફૉલોઅર છે. જે કોરોના વાયરસના કારણે તે જિંદગીની જંગ હારી ગયા તેમણે જ્યારે ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવુ શરૂ થયુ હતુ ત્યારે ભવિષ્યવાળી કરી હતી કોરોના માટે હવે એક મુશ્કેલીનો સમય હશે. દારૂવાલા ભગવાન ગણેશના ભક્ત હતા અને પોતાની ભવિષ્યવાણી અને રાશિફળ લખવાની શરૂઆત ગણેશ ભગવાનથી જ કરતા હતા.
આ જાણીતા જ્યોતિષીએ સંજય ગાંધીના મોત વિશે ભવિષ્યવાણી કરી હતી. બેજાન દારૂવાલાએ એ ભવિષ્યવાણી કરી હતી કે સંજય ગાંધીનુ દૂર્ઘટનામાં મોત થશે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનુ એક વિમાન દૂર્ઘટનાાં મોત થઈ ગયુ હતુ. બેજાના દારૂુવાલાએ 2014 અને 2019માં મોદીના જીતની ભવિષ્યવાણી કરી હતી. બંને લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.
Noted astrologer Bejan Daruwala passes away, tweets Gujarat CM Vijay Rupani pic.twitter.com/FnpOEAAVdy
— ANI (@ANI) May 29, 2020
યુપીમાં ચામાચીડિયાના મોત પાછળ શું છે કારણ, રિપોર્ટમાં થયો ખુલાસો