જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ કોરોનાથી મોત, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ.
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાની નિધનની સૂચના આપી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે 89 વર્ષીય દારૂવાલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા અનુસાર અમદાવાદ નગર નિગમે ગઈ 22 મેના રોજ તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ કરી હતી.

સમાચારો અનુસાર તે છેલ્લા એક અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એક અઠવાડિયાથી તે વેંટીલેટર પર હતા. જો કે તેમના દીકરા નાસ્તુર દારૂવાલાએ કોરોનાથી મોત થઈ હોવાનો ઈનકાર કર્યો છે. દીકરાના જણાવ્યા અનુસાર તેમના પિતા બેજાન દારૂવાલાનુ મૃત્યુ ન્યૂમોનિયા અને ઑક્સિજનની કમીના કારણે થયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
તમને જણાવી દઈએ કે જ્યોતિષી દારૂવાલા ભારત જ નહિ પરંતુ આખી દુનિયામાં ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા હતા. દુનિયાના દરેક દેશમાં લાખોની સંખ્યામાં તેમના ફૉલોઅર છે. જે કોરોના વાયરસના કારણે તે જિંદગીની જંગ હારી ગયા તેમણે જ્યારે ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવુ શરૂ થયુ હતુ ત્યારે ભવિષ્યવાળી કરી હતી કોરોના માટે હવે એક મુશ્કેલીનો સમય હશે. દારૂવાલા ભગવાન ગણેશના ભક્ત હતા અને પોતાની ભવિષ્યવાણી અને રાશિફળ લખવાની શરૂઆત ગણેશ ભગવાનથી જ કરતા હતા.
આ જાણીતા જ્યોતિષીએ સંજય ગાંધીના મોત વિશે ભવિષ્યવાણી કરી હતી. બેજાન દારૂવાલાએ એ ભવિષ્યવાણી કરી હતી કે સંજય ગાંધીનુ દૂર્ઘટનામાં મોત થશે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનુ એક વિમાન દૂર્ઘટનાાં મોત થઈ ગયુ હતુ. બેજાના દારૂુવાલાએ 2014 અને 2019માં મોદીના જીતની ભવિષ્યવાણી કરી હતી. બંને લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.
Noted astrologer Bejan Daruwala passes away, tweets Gujarat CM Vijay Rupani pic.twitter.com/FnpOEAAVdy
— ANI (@ANI) May 29, 2020
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
