જાણો તમારા ઉમેદવારને: માંગરોળથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયા
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં માંગરોળની સીટ પરથી ભાજપના ભગવાનજીભાઈ કરગઠિયાને ટિકિટ આપવામાં આવી છે. ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે, તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં માંગરોળની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે ભગવાનજીભાઈ કરગઠિયાની પસંદગી કરવામાં આવી છે. તો ભગવાનજીભાઈ કરગઠિયા વિષે થોડુ જાણીએ. જુનાગઢ જિલ્લાની માંગરોળ સીટ એસ.ટી. માટે આરક્ષિત છે. હાલ આ સીટ કોંગ્રેસ પાસે છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રભુભાઈ નાગરભાઈએ ભાજપના હેમલતાબેન મહેશભાઈને 24394 મતોથી હરાવ્યા હતા.

માંગરોળની સીટ ભાજપ પોતાના કબજામાં કરવા માટે અહીં નવા ઉમેદવારને ઉતારી રહી છે. આ વિસ્તારમાં કરગઠિયા સમાજના લોકોની સંખ્યા વધારે છે અને ભાજપ પોતાની કોઈ પણ સીટને ચૂકવા નથી માંગતા. આથી તેમણે ભગવાનજી કરગઠિયાને આ સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
