For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોત

ભરૂચઃ કોવિડ 19 હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 18 લોકોનાં મોત

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ભરૂચમાં એક કોવિડ 19 હોસ્પિટલમાં ભીષણ આગ લાગી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધી 16થી વધુ લોકોના મોત થયાં છે. શુક્રવારે 30 એપ્રિલના રોજ રાતે 12.30 વાગ્યે ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગી. ફાયર બ્રિગેડને ઘટના વિશે 12 વાગીને 55 મિનિટે સૂચિત કર્યા. આગ લાગવા વિશે જેવી જ સૂચના મળી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે આગ ઓલવવા પહોંચી ગઈ. ભરૂચના પટેલ વેલફેર હોસ્પિટલને કોવિડ 19 કેર સેંટર બનાવવામાં આવ્યું હતું. જ્યાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો હતો.

bharuch

ન્યૂજ એજન્સી એએનઆઈ મુજબ ભરૂચના એસપી રાજેંદ્ર સિંહ ચુડાસમાએ શરૂઆતી રિપોર્ટના આધારે 12 લોકોના મોતની પુષ્ટિ કરી હતી. પરંતુ સવારે જાણકારી સામે આવી કે 18 દર્દી અને હોસ્પિટલના 2 સ્ટાફનાં આગ લાગવાના કારણે મોત થયાં છે.

ભરૂચના એસપી રાજેંદ્ર સિંહ ચુડાસમાએ કહ્યું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જો કે બાદમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ઘટનામાં શરૂઆતી તરીકે 12 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. અસલમાં વાસ્તવિક સંખ્યા સવારે જ જણાવવામાં આવશે. રાત્રે 12.55 વાગ્યે ફાયર ફાયટર વિભાગને આગની જાણકારી આપવામાં આવી હતી.

ભરૂચના પટેલ વેલફેર કોવિડ 19 હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ દર્દીઓને બીજા હોસ્પિટલમાં શિફ્ટ કરી દેવાયા. ફાયર ડિપાર્ટમેન્ટ મુજબ તેમને હોસ્પિટલના આઈસીયૂ કોવિડ વોર્ડમાં આગ લાગવા વિશે 12.55 વાગ્યે ફોન આવ્યો હતો.

કોરોના સામે જંગઃ 18+ ને આજથી લાગશે કોરોના વેક્સીન, કેટલાય રાજ્યો પાછળ હટ્યાંકોરોના સામે જંગઃ 18+ ને આજથી લાગશે કોરોના વેક્સીન, કેટલાય રાજ્યો પાછળ હટ્યાં

English summary
Bharuch: 18 COVID-19 Patients Dead In Fire At Bharuch Hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X