મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના, દિવાલ પડતા 12 મજુરોના મોત!
મોરબી જિલ્લાના હળવદમાંથી દિલ દહેલાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાસાઈ થતા 12 લોકોના મોતની પુષ્ઠી થઈ છે. આ કરૂણાંતિકાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.
હળવદ : મોરબી જિલ્લાના હળવદમાંથી દિલ દહેલાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. હળવદમાં મીઠાના કારખાનામાં દિવાલ ધરાસાઈ થતા 12 લોકોના મોતની પુષ્ઠી થઈ છે. આ કરૂણાંતિકાએ સમગ્ર પંથકમાં શોકનો માહોલ ઉભો કર્યો છે.

સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર, હળવદ હળવદ GIDCમાં આવેલા સાગર સોલ્ટ નામના મીઠાના કારખાનામાં આ દુર્ઘટના ઘટી છે. ઘટના દરમિયાન મજુરો મીઠાની બોરીઓ પેક કરવાનું કરવાનું કામ કરી રહ્યા હતા અને આ બોરીઓની થપ્પી લગાવી રહ્યાં હતા. આ દરમિયાન જ બોરીઓનું દીવાલ પર વજન દીવાલ પર પડતા દિવાલ ધરાસાઈ થઈ હતી. આ દુર્ઘટનામાં 20 જેટલા મજુરો દંટાયા હતા. જેમાંથી 12નાં મોત થયા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદ ખાતેં GIDC માં દીવાલ ધસી પડતાં મૃત્યુ પામેલા શ્રમિકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યમંત્રી રાહત નિધિમાંથી ₹4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. pic.twitter.com/OWXbi0oE7d
— CMO Gujarat (@CMOGuj) May 18, 2022
સમગ્ર ઘટનાની રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી નોંધ લેવાઈ છે. તમામ મૃતકોના વારસદારોને મુખ્યંત્રી રાહત ફંડમાંથી 4 લાખ સહાર આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ સિવાય દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 50 હજાર સહાયની જાહેરાત કરાઈ છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યુ છે.
The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) May 18, 2022
દુર્ઘટના કેટલી ભયંકર હતી એ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દિવાલ ધરાસાઈ થયા પછી મૃતકોને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવી પડી છે. હાલ કામગીરી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
