હાર્દિકનું વિવાસ્પદ નિવેદન: આત્મહત્યા નહીં, 2-3 પોલીસવાળાની હત્યા કરો
ગુજરાતમાં પટેલ આરક્ષણને લઇને આંદોલન ચલાવનાર હાર્દિક પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સુરતમાં આયોજીત એક કાર્યક્રમ દરમ્યાન હાર્દિકે નિવેદન આપ્યું હતુ કે આત્મહત્યા કરવાની જગ્યાએ 2-3 પોલીસવાળાની હત્યા કરો.
હાર્દિક પટેલે વિપુલ દેસાઇ નામના એક વ્યક્તિને સલાહ આપતા કહ્યું કે પટેલ આત્મહત્યા નથી કરતા, જો હિમંત હોય તો 2-3 પોલીસવાળાને મારી નાખો. હાર્દિક પટેલના આ નિવેદન બાદ તેનો ઘણો વિરોધ થઇ રહ્યો છે.

તમને જણાવી દઇએ કે વિપુલ દેસાઇએ પટેલ અનામત આંદોલનનું સમર્થન કરતા પોતાનો જીવ આપવાની વાત કરી હતી. ત્યારબાદ એક સ્થાનિક ન્યૂઝ ચેનલની સાથે પહોંચેલા વિપુલ દેસાઇના ઘરે પહોંચેલા હાર્દિક પટેલે વિપુલ દેસાઇને આ સલાહ આપી હતી.
મહત્વપૂર્ણ છેકે હાર્દિક પટેલે ગુજરાતમાં પટેલ આરક્ષણ માટે મોટું આંદોલન ચલાવ્યું છે. આ આંદોલનને લઇને ગુજરાતની શાંતિ પર ફરી એકવખત નજર લાગી છે.












Click it and Unblock the Notifications
