તોડકાંડમાં નામ આવતા ભાજપે બક્ષીપંચ મોર્ચના કારોબારી સભ્ય જી.કે પ્રજાપતિને કર્યા સસ્પેન્ડ
પૂર્વ આઇપીએસ અધિકારીને મહિલાનો ઉપયોગ કરીને તોડ કરવાના ષડયંત્રને અમદાવાદ એટીએસ દ્વારા ખુલુ પાડવામાં આવ્યુ હતુ જેમા બે પત્રકારો સહિત એક ભાજપના નેતાનું નામ પણ સામે આવ્યુ હતુ.
પૂર્વ નિવૃત આઇપીએસ અધિકારી પાસેથી તોડ કરવાના કાંડમાં ધરપકડ કરાયેલા ભાજપના નેતાને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય જી.કે પ્રજાપતિને અયોગ્ય કામગીરી કરવા બદલ આ કડક કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, પૂર્વ નિવૃત આપીએસ અધિકારીને બદનાક મકરીને તેમની પાસેથી તોડકાંડકમાં નામ આવતા ભાજપે આ કાર્યવાહી કરી છે. તેની સાથા બે કથિત પત્રકારોનો પણ સમાવેશ થાય છે. આ લોકો દ્વારા એક મહિલાની આડમાં ખોટી એફિડેવીટ બનાવડાવીને પૂર્વ આઇપીએસ અધિકારીને ફસાવી દેવાનું ષડયંત્ર ઘડ્યુ હતુ. જેનો પડદાફાસ અમદાવાદ એટીએસ દ્વારા કરવામાં આવ્યો છે.
જી.કે પ્રજાપતિ શંકરસિંહ વાઘેલા સાથે 1990 મા તેમની સાથે રાજપામાં જાોડાયા હતા. શંકરસિહ વાઘેલાએ તેમને પછાત વર્ગ માટેના બોર્ડના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તી કર્યા હતા. બાપુ કોગ્રેસમાં જોડાતા તેઓ ફરી ભાજમાં પરત ફર્યા હતા. છેલ્લા કેટલા સમયથી ભાજપમાં તેઓ પ્રદેશ ઓબીસી મોર્ચાનના કારોબારી સહિતના અનેક જવાબદારી સંભાળી રહ્યા છે. જેના લીધે તે સરકાર અને સંગઠનમાં અનેક પદાધિકારીઓ સાથે ધરોબો ધરાવતા હતા.












Click it and Unblock the Notifications
