ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન
ગુજરાતના 3850 ગામમાં અંધારપટ, 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી, ખેડૂતો પરેશાન
અરબી સમુદ્રથી ઉઠેલ વાવાઝોડું તૌકતે હવે નિષ્ક્રિય થઈ ગયું છે. સોમવારે અને મંગળવારે બે દિવસ સુધી વાવાઝોડાએ ગુજરાતમાં તબાહી મચાવી. 2 લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયાં. 20 હજારથી વધુ કાચાં ઘર અસરગ્રસ્ત થયાં. હજારો એકરનો પાક નષ્ટ થઈ ગયો. ખાસ કરીને કેરીનો પાક 75% બરબાદ થઈ ગયો છે. આ ઉપરાંત વીજળી ઠપ થઈ જવાના કારણે રાજ્યના 3850 ગામમાં અંધારપટ છવાયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાના કારણે રાજ્યના 5958 ગામમાં વીજળી પૂરવઠો ખોરવાઈ ગયો હતો.

પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ
રાજ્યના 96 તાલુકામાં વાવાઝોડાને પગલે મુસળધાર વરસાદ થયો. અહેવાલ મુજબ અવરજવર માટે 112 રસ્તા બંધ કરી દેવા પડ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપણીએ આગલા બે દિવસમાં જનજીવન સામાન્ય કરવાને લઈ કામ ચાલશે તેવી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે બુધવારથી પ્રભાવિત જિલ્લામાં નુકસાનનું સર્વેક્ષણ કરાશે. જેમાં મકાન, પશુપાલન અને મત્સ્યોદ્યોગના નુકસાનનો સર્વે પણ સામેલ છે.

પ્રભાવિત જિલ્લાને આર્થિક મદદ મળશે
મુખ્યમંત્રીનું કહેવું છે કે તૌકતે વાવાઝોડાના પૂર્વાનુમાન બાદથી જ સરકારે પગલાં ઉઠાવવાં શરૂ કરી દીધાં હતાં. આ કારણે જાનમાલને વધુ નુકસાન નથી પહોંચ્યું. તેમણે કહ્યું કે વાવાઝોડાથી સર્વેક્ષણ બાદ પ્રભાવિત લોકોને આર્થિક મદદ અપાશે. યુદ્ધ સ્તરે પુનર્વાસ, રાહત કાર્ય શરૂ કરી દેવાશે.

આ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત
ગુજરાતમાં તૌકતેની સૌથી વધુ અસર અમરેલી, ગિરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લા પર થઈ છે. સૌરાષ્ટ્રમાં જ સૌથી વધુ મોત થયાં છે. સત્તાવાર રૂપે વાવાઝોડાને કારણે 14 લોકોના મોત થયાં છે.

ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
બિન મોસમ વરસાદ અને વાવાઝોડાના કારણે ગુજરાતમાં મગ, ચીકૂ, પપૈયા, કેરી, નારિયેળ જેવા પાકને જબરું નુકસાન થયું છે. રાજ્યનનો 75% કેરીનો પાક નષ્ટ થઈ ગયો છે. ત્યારે આ વખતે કેરીના ભાવમાં પણ વધારો જોવા મળશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
