ગુજરાતઃ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી 8 સીટ પર પેટાચૂંટણી થશે
ગુજરાતઃ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામાંથી ખાલી પડેલી 8 સીટ પર પેટાચૂંટણી થશે
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી બાદ હવે સત્તાધારી ભાજપ અને વપક્ષી દળ કોંગ્રેસે પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 8 સીટ પર પટાચૂંટણી થનાર છે. આ એજ સીટ છે જ્યાં આ વર્ષે કોંગ્રસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા બાદ ખાલી થઇ ગઇ હતી. રાજીનામા બાદ ખાલી થયેલી આ સીટો પર છ મહિનામાં પેટાચૂંટણી કરાવવી જરૂરી છે, માટે ચૂંટણી પંચે આ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે જ રાજનૈતિક દળો પણ પોતપોતાની તૈયારીઓમાં લાગી ગયા છે.

ભાજપના કાર્યાલય કમલમમાં મીટિંગ
ભાજપે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી વી સતીશ વગેરે પાર્ટીની આગેવાનીમાં કોર કમિટીની બેઠક બોલાવી. સોમવારે આ બઠક ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમમાં આયોજિત કરાઇ હતી. જેમાં પેટાચૂંટણીની રણનીતિ માટે ચર્ચા થઇ. જણાવવામાં આવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠન મહામંત્રી વી સતીશ, પ્રદશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત પાર્ટીની કોર કમિટીના અન્ય સભ્યો આ બેઠકમાં સામેલ થયા.

8માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાયા
જણાવી દઇએ કે કોંગ્રેસ છોડનાર 8માંથી 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઇ ગયા છે, ત્યારે હવે માનવામાં આવી રહ્યું છે કે બાજપ આ નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. હવે આ મામલે કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા આવી છે. કોંગ્રેસ નતા નિશીત વ્યાસે કહ્યું કે પાર્ટી પતાના રણછોડ નેતાઓની સૂચનાઓ જનતા સુધી પહોંચાડી રહી છે જેથી જનતા પેટાચૂંટણીમાં તેમને સબક શખવી શકે.

કોંગ્રેસ પોતાના ભાગેડૂ નેતાઓને પાઠ ભણાવશે
નિશીત વ્યાસે કહ્યું કે, "રાજ્યસભા ચૂંટણી દરમિયાન જ જ્યારે કેટલાય રણછોડ નેતા કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા હતા, તે સમયે જ અમારા નેતાઓની ટીમે તેમના વિધાનસભા ક્ષેત્રમાં જઇ જનતાને તેમની હરકતો વિશે જણાવી ચૂકી છે. હવે અમે આશ્વસ્ત છીએ કે ગુજરાતની જનતા બીજીવાર મોકો નહિ આપે. કોંગ્રેસ આ ચૂંટણીમાં પાર્ટી માટે સમર્પિત નેતાઓ અને કાર્યકર્તાઓને જ પ્રાથમિકતા આપશે. પેટાચૂંટણીમાં આવા નેતાઓને જ ટિકિટ આપવામાં આવશે."

હજી વિપક્ષી દળની કોર કમિટીની બઠક નથી થઇ
નિશીત વ્યાસે માન્યું કે કોંગ્રેસમાં પેટાચૂંટણીની રણનીતિને લઇ બેઠક નથી થઇ, પરંતુ પાર્ટી પોતાના નેતા અને કાર્યકર્તાઓએ જે સંદેશો પહોંચાડવો છે તેના પર પહેલેથી જ કામ કરી રહી છે. જથી માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2020માં પેટાચૂંટણી થશે.

અગાઉ 6 સીટ પર પેટાચૂંટણી થઇ હતી
માર્ચથી જૂન દરમિયાન ખાલી થયેલ આઠ સીટ પર પેટાચૂંટણી થનાર છે. જણાવી દઇએ કે 5 ધારાસભ્યોએ મા્ચ મહિનામાં રાજીનામાં આપ્યાં હતાં અને 3 ધારાસભ્યોએ જૂન મહિનામાં રાજીનામાં આપ્યાં હતાં. ગુજરાતમાં અગાઉ 6 સીટ પર પેટાચૂંટણી થઇ હતી.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
