ચાય પે ચર્ચાઃ એક સાથે 22 શહેરની કીટલીઓને સંબોધશે મોદી
ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચાની કીટલી પર બેસતા નાગરિકો સાથે સીધો સંવાદ કરવા ‘ચાય પે ચર્ચા' કાર્યક્રમનું બુધવારે લોન્ચિંગ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત મોદી બુધવારે રાજ્યના 22 શહેર અને દેશના 300 શહેરના 1 હજાર જેટલા સ્થળો પર એક સાથે ડીટીએચ, સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંવાદ કરશે.

જો તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માગતા હોવ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્નોત્તરી કરવા માગતા હોવ તો ફોન નં. ૦૭૮૭૮૭ ૮૨૦૧૪ તથા CPC સંદેશો એસએમએસ કરવાથી તમે આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો, અથવા તો તમે www.indiancag.org/chaipecharcha વેબસાઇટ પર જઇને પણ તમે મોદી સાથે પ્રશ્નોત્તરી કરી શકો છે. ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ નેટવર્કિંગ પેજ થકી મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો.












Click it and Unblock the Notifications
