ચાય પે ચર્ચાઃ એક સાથે 22 શહેરની કીટલીઓને સંબોધશે મોદી

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 13 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ચાની કીટલી પર બેસતા નાગરિકો સાથે સીધો સંવાદ કરવા ‘ચાય પે ચર્ચા' કાર્યક્રમનું બુધવારે લોન્ચિંગ કરી રહ્યાં છે. આ કાર્યક્રમ અંતર્ગત મોદી બુધવારે રાજ્યના 22 શહેર અને દેશના 300 શહેરના 1 હજાર જેટલા સ્થળો પર એક સાથે ડીટીએચ, સેટેલાઇટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સંવાદ કરશે.

chai-pe-charcha-with-namo
કાર્યક્રમની રૂપરેખા પર નજર ફેરવવામાં આવે તો અમદાવાદના સાત અને ગાંધીનગરના પાંચ સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ હેઠળ સાંજે પાંચ વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધી નાગરિકો સાથે સીધો જ સંવાદ કરશે. રાષ્ટ્રિય સ્તરના આ કાર્યક્રમના પહેલા ચરણમાં સુશાસન સંદર્ભે મોદી લોકો સાથે સીધો સવાંદ કરશે અને પ્રશ્નોત્તરી કરવામાં આવશે. નોંધનીય છે કે આ કાર્યક્રમ 10થી 12 ચરણમાં યોજનાર છે. જેમાં પક્ષના અનેક રાષ્ટ્રિય અગ્રણીઓ પણ ભાગ લેનારા છે. આ કાર્યક્રમ થકી દેશના બે કરોડ લોકો સાથે સીધો સવાંદ થશે તેમ ભાજપનું માનવું છે.

જો તમે પણ આ કાર્યક્રમનો ભાગ બનવા માગતા હોવ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રશ્નોત્તરી કરવા માગતા હોવ તો ફોન નં. ૦૭૮૭૮૭ ૮૨૦૧૪ તથા CPC સંદેશો એસએમએસ કરવાથી તમે આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો, અથવા તો તમે www.indiancag.org/chaipecharcha વેબસાઇટ પર જઇને પણ તમે મોદી સાથે પ્રશ્નોત્તરી કરી શકો છે. ઉપરાંત ફેસબુક, ટ્વીટર સહિતના સોશિયલ નેટવર્કિંગ પેજ થકી મુખ્યમંત્રીના આ કાર્યક્રમ સાથે જોડાઇ શકો છો.

English summary
Chai pe Charcha with gujarat chief minister and bjp's pm candidate narendra modi on February 12th
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X