Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચંદ્રયાન 3ની સફળતા માટે હિંમતનગરના વૈજનાથ મંદિરમાં ભોળાનાથને કરાઈ પ્રાર્થના અને આરતી

Chandrayaan 3: સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના રાયગઢમાં આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે મંગળવારે મંદિરના ભક્તો દ્વારા ચંદ્રયાન -3ની સફળ લેન્ડીગ માટે ભક્તો ધ્વારા ભગવાન શિવજીને કલર વડે ચંદ્રયાન-૩ ની પ્રતિકૃતિ બનાવીને શણગાર કાર્ય બાદ આરતી કરીને સફળતા માટે પ્રાર્થના સાથે આરતી કરી છે.

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ સુદ છઠ અને આજે ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઊતરશે. જેને લઈને દેશભરમાં દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે.

chandrayaan 3

ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તો દ્વારા પણ શ્રી વૈજનાથ મહાદેવજીને 10 કિલો કલરનો ઉપયોગ કરીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ બનાવીને સફળતા માટેની પ્રાર્થના સાથે આરતી કરવામાં આવી હતી. તો હિમતનગરથી શામળાજી રોડ પર આવેલ રાયગઢમાં સ્વયંભુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વખતે 7 લાખથી પણ વધારે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલ છે.

જેના ઉપર અભિષેક પણ કરવાની વ્યવસ્થા કરેલ છે. યુવાનો દ્વારા દાદાને દરરોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે આજે સાંજે દેશનું મુન મિશનને લઈને સર્વે દેશભરના દેશવાસીઓ સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના ભક્તો દ્વારા શિવજીને શણગાર સાથે આરતી કરીને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X