'બાળકોને લાગવુ જોઈએ કે નૉર્મલ છે બધુ, આના માટે સૌથી સારી રીત છે ઑનલાઈન અભ્યાસ'
ગુજરાત હાઈકોર્ટે કહ્યુ છે કે બાળકોને લાગવુ જોઈએ કે બધુ નૉર્મલ છે..
ગુજરાત હાઈકોર્ટે કહ્યુ છે કે કોરોના સંકટના કારણે ઘણા મહિનાઓથી લાઈફસ્ટાઈલ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. પરંતુ આવી મુશ્કેલ ઘડીમાં બાળકોને લાગવુ જોઈએ કે બધુ નૉર્મલ છે કારણકે બાળકો આપણી પ્રાથમિકતા છે. તેમના માટે રૂટીન હોવુ જરૂરી છે જેનાથી તેમને લાગે કે બધુ સામાન્ય છે. નહિતર પ્રતિકૂળ અસર પડશે.

હાઈકોર્ટે એમ પણ કહ્યુ કે બાળકોને સામાન્ય સ્થિતિનો અહેસાસ અપાવવા માટે ઑનલાઈન અભ્યાસ સારી રીત છે. જજ બોલ્યા કે હાલમાં આપણે એવી સ્થિતિમાં છે જ્યાં કોઈને નજરઅંદાજ કરી શકાય નહિ. છેલ્લા અમુક મહિનાઓથી જીવવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આવી સ્થિતિમાં બાળકો માટે રૂટીન હોવુ જરૂરી છે જેથી તેમને લાગે કે બધુ સામાન્ય છે.
શાળાઓ દ્વારા અભ્યાસ તેમજ ટ્યુશન સંબંધી કામ શરૂ કરવા તેમજ પોતાના સ્ટાફને વેતન આપવા અંગે હાઈકોર્ટે કહ્યુ કે આવા સમયમાં એ પણ ધ્યાન રાખવુ મહત્વનુ છે કે પ્રાઈવેટ સ્કૂલોના સ્ટાફ માટે જ્યાંથી વેતન આવશે તે બાળકોના માતાપિતાથી આવે છે. પરંતુ હાલમાં બધા પરિવારોની આર્થિક સ્થિતિ ઠીક નથી. એવામાં પરિસ્થિતિને જોતા બાળકોને યોગ્ય શિક્ષણ પૂરુ પાડવા અને સ્કૂલોને ચાલુ રાખવા માટે સંતુલન જાળવવુ જરૂરી છે.












Click it and Unblock the Notifications
