Chotila temple timing : ચૈત્રી નવરાત્રીને લઈને ચોટીલા માતાજી મંદિરના આરતી સમયમાં ફેરફાર
Chotila temple timing : ચોટીલા ડુંગર પર આવેલા માતાજી મંદિરે ચૈત્રી નવરાત્રીના પાવન અવસરને ધ્યાનમાં રાખી આરતીના સમયમાં તાત્પુરતો બદલાવ કરવામાં આવ્યો છે.
આ ફેરફાર 30 માર્ચથી 5 એપ્રિલ સુધી અમલમાં રહેશે. મંદિર પ્રશાસન દ્વારા નવરાત્રી દરમિયાન સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપે નવુ સમયપત્રક અમલમાં મુક્યુ છે.

- પગથિયાનો દ્વાર: સવારે 5:00 વાગ્યે ખુલશે.
- સવારની આરતી: 5:30 વાગ્યે થશે.
- સંધ્યા આરતી: રાબેતા મુજબ સૂર્યાસ્ત સમયે થશે.
- ભોજન પ્રસાદી: રાબેતા મુજબ 11:00 થી 14:00 દરમિયાન મળશે.
ચૈત્રી નવરાત્રીનો વિશેષ સમય
- ઘટ સ્થાપન: 30 માર્ચ સવારે 09:15 કલાકે
- સવારની આરતી: 07:00 થી 07:30
- દર્શન: 07:30 થી 11:30
- રાજભોગ: બપોરે 12:00
- બપોરના દર્શન: 12:30 થી 16:30
- સાંજની આરતી: 19:00 થી 19:30
- સાંજના દર્શન: 19:30 થી 21:00
- ચૈત્ર સુદ-8 (આઠમ): આરતી સવારે 06:00 વાગ્યે
- ચૈત્ર સુદ-15 (પુનમ): આરતી સવારે 06:00 વાગ્યે
06 એપ્રિલ બાદ દર્શન તથા આરતીના સમય રાબેતા મુજબ યથાવત રહેશે.












Click it and Unblock the Notifications
