એરપોર્ટ પર 65 વર્ષના પેસેન્જરને આવ્યો હાર્ટ એટેક, CISF જવાને ભગવાન બની બચાવ્યો જીવ
અમદાવાદ એરપોર્ટ પર હાર્ટ એટેક આવતા સિનિયર સિટીઝનને આપવામાં આવેલ CPR. એરપોર્ટ પર ફરજ પરના ત્રણ-ચાર કોન્સ્ટેબલોએ તાત્કાલિક હૃદયરોગના હુમલા બાદ એરપોર્ટ પર પડી ગયેલા પેસેન્જરને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) સારવાર આપી.
અમદાવાદ એરપોર્ટ પર હાર્ટ એટેક આવતા સિનિયર સિટીઝનને આપવામાં આવેલ CPR. એરપોર્ટ પર ફરજ પરના ત્રણ-ચાર કોન્સ્ટેબલોએ તાત્કાલિક હૃદયરોગના હુમલા બાદ એરપોર્ટ પર પડી ગયેલા પેસેન્જરને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) સારવાર આપી. લગભગ 53 સેકન્ડનો વીડિયો ટ્વીટ કરીને CISFએ લખ્યું કે અમદાવાદ એરપોર્ટ પર ફરજ પરના જવાનોએ માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું હતુ.
સિનિયર સીટીજનનો બચાવ્યો જીવ
સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્ટ (CISF)ના જવાને માનવતાનું ઉદાહરણ રજૂ કર્યું છે. એરપોર્ટ પર હાર્ટ એટેક આવતા એક વરિષ્ઠ નાગરિકનો જીવ બચી ગયો છે.
હાર્ટ એટેક બાદ સીપીઆરથી બચ્યો જીવ
CISFએ કહ્યું કે આ સેવા કોઈ પણ આદેશથી પર છે. CISFના જવાનો દ્વારા ત્વરિત પ્રતિસાદ અને CPR સારવારને કારણે અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફરનો અમૂલ્ય જીવ બચી ગયો હતો.
CISF જવાને વૃદ્ધને ભાનમાં લાવવાનો કર્યો પ્રયાસ
અમદાવાદ એરપોર્ટ પર CPR સારવાર અને મુસાફરનો જીવ બચાવવા અંગે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે, સિનિયર સિટીઝન પેસેન્જર અચાનક હાર્ટ એટેક આવતા એરપોર્ટ પર પડી ગયો હતો. તૈયાર CISF જવાનોએ તાત્કાલિક સ્થળ પર CPR સારવાર આપવાનું શરૂ કર્યું. છાતી પર દબાણ આપીને વૃધ્ધાને ભાનમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો.
65 વર્ષના વૃદ્ધને થઇ ગભરામણ
એક્સપ્રેસે અહેવાલ આપ્યો હતો કે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સિક્યોરિટી ક્લિયરન્સ બાદ 65 વર્ષીય નારાયણ ચૌધરી નામનો મુસાફર પડી ગયો હતો. ચૌધરી તેની પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેણે અસ્વસ્થતાની ફરિયાદ કરી અને થોડા સમય પછી તે પડી ગયા હતા.
CISFના સબ ઇન્સ્પેક્ટર કપિલ રાઘવે આપ્યુ જીવનદાન
પરિસરમાં હાજર સીઆઈએસએફના સબ ઈન્સ્પેક્ટર કપિલ રાઘવને જ્યારે મુસાફરની તબિયત લથડી ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી. એક્સપ્રેસના અહેવાલમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, રાઘવે 65 વર્ષીય નારાયણ ચૌધરીને કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) કરાવ્યું હતું. આ કટોકટીની પ્રક્રિયા વ્યક્તિના શ્વાસ અથવા ધબકારા બંધ થઈ જાય તો તેનું જીવન બચાવવામાં મદદ કરે છે.
|
હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ એરપોર્ટ પર પોસ્ટ કરાયેલા એક સૂત્રએ જણાવ્યું કે, ચૌધરી હૈદરાબાદ જઈ રહ્યો હતો. ફ્લાઇટની રાહ જોઈ રહેલા ચૌધરીએ સવારે લગભગ 8 વાગ્યે અસ્વસ્થતાની ફરિયાદ કરી. પછી હાર્ટ એટેક આવ્યો. CISF અધિકારીએ સમય ગુમાવ્યા વિના તેમની મદદ કરી. સીઆઈએસએફના જવાનો મુસાફરને તબીબી સહાય ન મળે ત્યાં સુધી તેની સાથે રહ્યા. બાદમાં મુસાફર ચૌધરીને એમ્બ્યુલન્સમાં અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.