અમતિ શાહે ગરબાડા, ઠાસરા અને કપડવંજમાં ભાજપના ઉમેદવારો માટે કર્યો ચૂંટણી પ્રચાર
ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગરબાડા (દાહોદ) ઠાસરા (ખેડા) અને કપડવંજ (ખેડા) ખાતે વિશાળ જનસભાઓને સંબોધી હતી. અમિતભાઈ શાહે પરડુંગરી બાબા, દેવ અને શિવમંદિર, ડાકોર રણછોડરાય અને આશાપુરા માં ને નમન તથા આદિવાસીઓ માટે પોતા
ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગરબાડા (દાહોદ) ઠાસરા (ખેડા) અને કપડવંજ (ખેડા) ખાતે વિશાળ જનસભાઓને સંબોધી હતી. અમિતભાઈ શાહે પરડુંગરી બાબા, દેવ અને શિવમંદિર, ડાકોર રણછોડરાય અને આશાપુરા માં ને નમન તથા આદિવાસીઓ માટે પોતાનું સમગ્ર જીવન આપનાર પુ. ઠકકર બાપાને યાદ કરી ગરબાડા ખાતે કોંગ્રેસની નીતિરીતિની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસે હંમેશા આદિવાસીઓ, ગરીબો અને વંચિતોનું વોટ બેન્ક તરીકે શોષણ જ કર્યું છે. તેઓના ઉત્થાન માટે એક પણ કામ ન કર્યું. તેઓએ કહ્યું કે કોંગ્રેસે સત્તા માટે હિન્દુ - મુસ્લિમને લડાવ્યા, પરિણામે વિકાસ રૂંધાયો, ૨૦૦૨માં આ વિકાસ વિરોધી તત્વોને મોદીએ એવો પાઠ ભણાવ્યો કે તેઓ હવે તોફાન કરાવવાની ખો ભૂલી ગયા છે.તેઓએ કહ્યું કે 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દુનિયા જોવે તે રીતે સંસદમાં કહ્યું હતું કે મારી સરકાર આદિવાસીઓ, દલિતો, ગરીબો અને વંચિતોની સરકાર છે અને છેલ્લા સાડા આઠ વર્ષથી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકાર તે રસ્તે આગળ વધી રહી છે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી મોદીજીએ અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસીઓ અને ક્ષેત્રના વિકાસની સાથે સાથે લોક પરંપરા પ્રકૃતિને જીવંત રાખવાનું કાર્ય કર્યું છે.

શાહે ઠાસરા ખાતે સરદાર સાહેબની જન્મભૂમિ એવા આ જિલ્લામાં જગપ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠી, ઇન્દુચાચા સહિતના મહાનુભાવોએ યાદ કરી કહ્યું આ સૌએ ગુજરાત અને દેશને ગૌરવ અપાવ્યું. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગરીબોને ગેસ સિલિન્ડર, જન ધન એકાઉન્ટ, 24 કલાક વીજળી, નલ સે જલ, શૌચાલય, પાંચ લાખનો સ્વાસ્થ્ય વીમો, પોતીકું ઘર આપી ગરીબોના ઉત્થાન અને જીવન સ્તરને ઉપર ઉઠાવવા માટે કામ કર્યું. તેઓએ કહ્યું કે ગરીબોની ચિંતા અને વ્યથા ગરીબ ઘરમાં ઉછરેલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જ સમજી શકે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે ડાકોરમાં સીએચસી નું તંત્ર બદલવાનું, ઠાસરામાં 20 કરોડના ખર્ચે નવા રોડ, ખીજલપુર - આણંદ જોડતા પુલનું નિર્માણ કાર્ય શરૂ થયું, 1.55 લાખ બહેનોને નિશુલ્ક ગેસ સિલિન્ડર, 4.7 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ અન્વયે કુલ ₹485 કરોડ ની જમા રાશિ, 2.58 લાખ ઘરોમાં શાઈ, માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ ૧૬ હજાર લોકોની રૂપિયા 35 કરોડથી વધુના ખર્ચે સારવાર, ઠાસરા -ડાકોર ક્ષેત્રમાં સો કરોડના ખર્ચે 72 જેટલા વિકાસ કાર્યોના લોકાર્પણ, ખેડામાં ચેકડેમ બનાવી ૭૫ જેટલા તળાવોનું ૨૦૦ કરોડના ખર્ચે બ્યુટીફિક્શન, કપડવંજમાં ૨ ડેમ અને ૭ ચેકડેમ, નડિયાદ બાયપાસ રોડ, ૪ કરોડના ખર્ચે મીની રિવરફ્રન્ટ, ઠાસરા - ગલતેશ્વરમાં ૧૦૦ કરોડના વિકાસકાર્યો તથા કપડવંજ તાલુકામાં ૧૦૯ કરોડથી વધુના વિકાસકાર્યો ના ખાતમુહુર્ત, ખેડા જિલ્લામાં ૨૦૦ કરોડના ખર્ચે સુજલામ - સુફલામ્ ચેકડેમ જેવા અનેકવિધ વિકાસ કાર્યો ભાજપાએ કર્યા છે.
શાહે ઉમેર્યું હતું કે આજે ગુજરાતમાં માથાદીઠ સૌથી વધુ દૂધ અને પર હેકટર બટાકાનું ઉત્પાદન થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇતિહાસમાં પ્રથમ વખત સહકાર મંત્રાલય સ્થાપિત કરી ડેરી, એપીએમસી, સહકારી મંડળીઓ જીનિંગ મીલ, સહકારી બેંકો,માછીમાર મંડળીઓ સહિતની અનેક સંસ્થાઓને સશક્ત અને તેની સાથે જોડાયેલા લોકોને સમૃદ્ધ બનાવવાનો રસ્તો પ્રશસ્ત કર્યો છે. તેઓએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ વિકાસની એક સિસ્ટમ વિકસાવી અને તે તેમની ગેરહાજરીમાં પણ આપમેળે ચાલતી રહે તેવી વ્યવસ્થા ગોઠવી. મોદીએ "પોલિટિક્સ ઓફ પર્ફોર્મન્સની" નીતિ સાથે દેશ અને દેશ બાંધવોના કલ્યાણ માટે રાત દિન એક કર્યા. ભાજપા સરકારની પ્રતિબદ્ધતા અને ગુજરાતવાસીઓની કર્મઠતાએ એફ.ડી.આઇ., ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, સ્ટાર્ટઅપ, રોડ નેટવર્ક, સિંચાઈ, દૂધ - બટાકા ઉત્પાદન, ગુડ ગવર્નન્સ સહિત અનેક ક્ષેત્રોમાં ગુજરાતને અવ્વલ બનાવ્યું છે.
શાહે કપડવંજ ખાતે ઉત્કન્ટેશ્વર મહાદેવના ચરણોમાં વંદન સાથે કહ્યું કે લોકશાહીમાં રાજકીય પક્ષના ભૂતકાળના કાર્યોના આધારે પસંદગી કરવી જોઈએ. ૧૯૯૦ પહેલા કોંગ્રેસ શાસન અને બાદમાં ભાજપા શાસનમાં ગામડાઓની સ્થિતિ અને લોકોનું જીવન ધોરણ સરખાવો તો ખ્યાલ આવી જશે કોણે ખરેખર કામ કર્યું છે.કોંગ્રેસે અંદરોઅંદર લડાવવા અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ ન કર્યું જ્યારે ભાજપાએ ગુજરાતમાં શાંતિ સ્થાપી, વિકાસ કર્યો અને જાતિવાદનું ઝેર કાયમ માટે સમાપ્ત કર્યુ. શ્રી શાહે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવવા અને જન - જનની સુખાકારીને વધુ ઉત્તમ બનાવવા ભાજપા ઉમેદવારોને જંગી બહુમતીથી ચુંટી કાઢવા ઉપસ્થિત વિશાળ જનસમૂહને અપીલ કરી હતી
આ જાહેર સભાઓમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, સાંસદશ્રીઓ, પ્રવાસી આગેવાનશ્રીઓ, સિનિયર અગ્રણીશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યઓ, સ્થાનિક ભાજપા સંગઠન પદાધિકારીઓ,ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
