છોટા ઉદેપુર: કોંગ્રેસના ધારાસભ્યએ કર્યા કેસરીયા, મોહનસિંહ રાઠવા બીજેપીમાં જોડાયા
છોટા છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા તેમના પરિવાર સાથે આજે ભાજપમાં જોડાયા હતા તેમના બે પુત્રો રાજેન્દ્રસિંહ રાઠવા અને રણજીતસિંહ રાઠવા પણ ભાજપનો કેસરિયા ખેંચ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના મહામંત્રી
છોટા છોટાઉદેપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા તેમના પરિવાર સાથે આજે ભાજપમાં જોડાયા હતા તેમના બે પુત્રો રાજેન્દ્રસિંહ રાઠવા અને રણજીતસિંહ રાઠવા પણ ભાજપનો કેસરિયા ખેંસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના મહામંત્રી ભાર્ગવ ભટ્ટે જણાવ્યું હતું કે મોહનસિંહ રાઠવા ગુજરાત વિધાનસભામાં સૌથી સિનિયર અને સૌથી અનુભવી ધારાસભ્ય રહ્યા છે વિધાનસભામાં બોહળો મિત્ર વર્ગ ધરાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આદિવાસી કલ્યાણ વિવિધ યોજનાઓનો તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તે યોજનાઓને આદિવાસીઓના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવાનું જે કામ કરે છે તેમાં રામસિંગ રાઠવા ભાજપના જોડાતા આ કામગીરી નવું વેગ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમને આલ્ફાબેટ એબીસીડી માં એની શરૂઆત જ આદિવાસીથી થાય છે
આ પ્રસંગે મોહનસિંહ રાઠવા એ જણાવ્યું હતું કે તેમણે પાર્ટી માટે ભાવથી પ્રેમથી અને વિવેકથી કામ કર્યું હતું તેથી કોંગ્રેસ છોડીને આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે તેમાં સામાન્ય અને સંજોગો બળવાન છે તેમ તેમને જણાવ્યું હતું ભાજપના જોડે તેમને જણાવ્યું હતું કે આ તેમનું સુખ ભાગ્યે છે અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીનું તેમને આભાર માન્યો હતો કે તેમને ભાજપમાં જોડાવાની તક આપી. મોદી સાહેબ પર વિશ્વાસ મૂકીને એ મારી લાગણી હતી એટલે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું મારો કોઈ પાર્ટી પ્રત્યે અનાદર નથી.