સોનિયા ગાંધીએ જિજ્ઞેશ મેવાણી સહિત ગુજરાત કોંગ્રેસના 7 કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તિને આપી મંજૂરી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
નવી દિલ્લીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં જીગ્નેશ મેવાણી સહિત સાત કાર્યકારી પ્રમુખોના નામ શામેલ છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) સંગઠનના પ્રભારી મહાસચિવ કેસી વેણુગોપાલે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી. તેમણે કહ્યુ કે GPCCના જિજ્ઞેશ મેવાણી અને અન્ય છ કાર્યકારી પ્રમુખોની નિમણૂકના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપવામાં આવી છે. GPCCના કાર્યકારી પ્રમુખ તરીકે જે પક્ષના નેતાઓની નિમણૂક કરવામાં આવશે તેમાં ધારાસભ્ય લલિત કગથરા, રૂત્વિક મકવાણા, અંબરીશ જે ડેર, હિંમતસિંહ પટેલ અને મેવાણીનો સમાવેશ થાય છે.
અધ્યક્ષે તત્કાલ પ્રભાવથી આપી મંજૂરી
આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીના અન્ય બે નેતાઓ કદીર પીરઝાદા અને ઈન્દ્રવિજય સિંહ ગોહિલને પણ રાજ્યમાં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખોની નિમણૂકની દરખાસ્તને પ્રમુખે તાત્કાલિક અસરથી મંજૂર કરી છે.
આ વર્ષે થવાની છે વિધાનસભા ચૂંટણી
તમને જણાવી દઈએ કે આ વર્ષે એટલે કે 2022માં ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. જે પહેલા કોંગ્રેસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં મજબૂત પગ જમાવવા માંગે છે. આ ક્રમમાં બુધવારે પાર્ટીએ તમામ 26 સંસદીય મતવિસ્તારોમાં સંસદીય મતવિસ્તાર મુજબ નિરીક્ષકોની નિમણૂક કરી. વળી, પાર્ટીના કામ માટે તૈયાર કરવામાં આવેલા નેતાઓમાં રાજસ્થાન સરકારના ઘણા મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે.
27 વર્ષોથી સત્તા પર બેઠેલ ભાજપને હરાવવાની રણનીતિ
પાર્ટીએ આગામી ચૂંટણીની તૈયારી માટે દિલ્લીમાં બેઠકો શરૂ કરી દીધી છે. કોંગ્રેસ ટાસ્ક ફોર્સની સોમવારે સતત 5 કલાક સુધી બેઠક થઈ. જેમાં ગુજરાતના નેતાઓ વિધાનસભાની ચૂંટણી માટે એક થયા હતા અને છેલ્લા 27 વર્ષથી રાજ્યમાં શાસન કરી રહેલા ભાજપને હરાવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી.
હાર્દિક પટેલ સહિત અન્ય નેતાઓએ કોંગ્રેસ છોડતા પક્ષને લાગ્યો છે ઝટકો
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ હાર્દિક પટેલ સહિત કેટલાક હાઈપ્રોફાઈલ નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. પાટીદાર વિરોધનુ નેતૃત્વ કરનાર પાટીદાર નેતા તેમની વફાદારી બદલીને ભાજપમાં જોડાયા હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ પાર્ટીને ફટકો પડ્યો છે.