પીએમ મોદીની વાત સાંભળી વડોદરાના કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડાની દુકાન ખોલી, જોરદાર ચાલ્યો ધંધો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પકોડા રોજગાર અંગે ભલે લોકો ગમે એટલા વ્યંગ કરે, પરંતુ વડોદરાના એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા રોજગાર ઘ્વારા ખુબ જ મોટો બિઝનેસ ઉભો કરી નાખ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પકોડા રોજગાર અંગે ભલે લોકો ગમે એટલા વ્યંગ કરે, પરંતુ વડોદરાના એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા રોજગાર ઘ્વારા ખુબ જ મોટો બિઝનેસ ઉભો કરી નાખ્યો છે. નરેન્દ્ર મોદીનો સુજાવ માનીને કોંગ્રેસી કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતે વડોદરામાં પકોડાનો એક સ્ટોલ લગાવ્યો. આજે શહેરમાં તેમના કુલ 35 સ્ટોલ ચાલે છે. એનએસયુઆઇ સદસ્ય નારાયણભાઈ રાજપૂત હિન્દીમાં પોસ્ટ ગેજ્યુએટ છે.

નરેન્દ્ર મોદીનો સુજાવ માની દુકાન ખોલી
ગુજરાતના વડોદરામાં એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા વેચીને પોતાનું જીવન બદલી નાખ્યું. પોતાને પાક્કા કોંગ્રેસી ગણાવનાર નારાયણભાઈ હિન્દીમાં પોસ્ટ ગેજ્યુએટ છે અને પકોડા સ્ટોલ ચલાવે છે. નારાયણભાઈ રાજપૂતે પકોડા વેચવાનું નક્કી ત્યારે કર્યું જયારે એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી ઘ્વારા તેને એક રોજગાર ગણાવવામાં આવ્યો.

થોડા જ દિવસોમાં દુકાન ચાલી પડી
ત્યારપછી નારાયણભાઈ રાજપૂતે પીએમ મોદી ઘ્વારા આપવામાં આવેલું નિવેદન એક ચેલેન્જ તરીકે લીધું. તેમને પોતાનો પહેલો સ્ટોલ 'શ્રીરામ દાળવડા' તરીકે ખોલ્યો. થોડા જ દિવસોમાં તેમનો પકોડાનો ધંધો ખુબ જ સારી રીતે ચાલવા લાગ્યો. નારાયણભાઈ રાજપૂતે જણાવ્યું કે તેમને પહેલા ફક્ત 10 કિલો સમાન સાથે પકોડા વેચવાનું ચાલુ કર્યું. પરંતુ આજે તો 500 થી 600 કિલો સમાનના પકોડા વેચી રહ્યા છે.

રામના નામ પર રાખી દુકાન
રામના નામ પર સ્ટોલ રાખવા પર નારાયણભાઈ રાજપૂતે જણાવ્યું કે રામના નામ પર મોદી અને અમિત શાહ દેશ ચલાવી શકે છે તો તેમનો સ્ટોલ પણ સારું જ કરશે. નારાયણભાઈ સવારે 7 વાગ્યા થી 11 વાગ્યા સુધી 300 કિલો દાળવડા વેચે છે. પછી સાંજે તેઓ ચાર કલાક પોતાની દુકાન ચલાવે છે. તેમની દુકાન પર લોકોની ખુબ જ ભીડ રહે છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
