ઉત્તરાખંડમાં સર્જાયેલા સંકટ પગલે CM ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ચિંતા, હેલ્પ લાઈન નંબર જાહેર કર્યો
નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા છે. જે કારાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા કુદરતી સંકટ વચ્ચે ગુજરાતના યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાઈ ગયા છે.
નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાના સમાચાર આવ્યા છે. થોડા સમય સુધી ચાલેલા ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. પાણી માત્ર માનવ વસાહતોમાં જ દેખાય છે. પોલીસ અને વહીવટી તંત્રની ટીમ આ વિસ્તારમાં પહોંચી રહી છે. ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

આવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સર્જાયેલા કુદરતી સંકટ વચ્ચે ગુજરાતના યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાઈ ગયા છે, તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. આ સાથે તેમને જરૂરી મદદ સહાય મળી રહે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી.

હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો
ગુજરાતના જે યાત્રિકો ઉત્તરાખંડમાં ફસાયેલા છે, તેમનો સંપર્ક થઈ શકે તેમજ તેમના અંગે અન્ય માહિતી મેળવી શકાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાનેપગલે ગુજરાત સરકારના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.આ હેલ્પ લાઇન નંબર 079 23251900પર ઉત્તરાખંડમાંઅટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ તથા સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે.

રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની
નૈનીતાલના એસએસપી પ્રીતિ પ્રિયદર્શિનીએ જણાવ્યું હતું કે, નૈનીતાલ જિલ્લાના રામગઢ ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટ્યા ત્યાંથી કેટલાકઘાયલોને બચાવી લેવાયા છે. જો કે, અસરગ્રસ્ત લોકોની સંખ્યા વિશે ચોક્કસ માહિતી હજૂ સુધી ઉપલબ્ધ નથી. આપત્તિ-રાહત અને બચાવ ટીમ બચાવ કામગીરીમાંશામેલ છે.
|
નૈની તળાવ ઓવરફ્લો થઈ ગયું
ન્યૂઝ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, નૈની તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને તેનું પાણી નૈનીતાલના રસ્તાઓને ડૂબાડી રહ્યુંછે. મકાનો અને મકાનોમાં પાણી ઘૂસી રહ્યું છે. આ વિસ્તારમાં સતત વરસાદ પડી રહ્યો છે.












Click it and Unblock the Notifications
