પૂર આવવાથી વડોદરા શહેરમાં મગરો જોવા મળ્યા, અત્યાર સુધીમાં 25 પકડાયા
ગુજરાતમાં 31 જુલાઈથી ભારે વરસાદના કારણે વડોદરા શહેર ડૂબી ગયું હતું. અહીં વિશ્વામિત્રી નદી છલકાઇ હતી અને વસ્તીવાળા વિસ્તારોમાં પાણી જ પાણી દેખાવા લાગ્યા હતા.
ગુજરાતમાં 31 જુલાઈથી ભારે વરસાદના કારણે વડોદરા શહેર ડૂબી ગયું હતું. અહીં વિશ્વામિત્રી નદી છલકાઇ હતી અને વસ્તીવાળા વિસ્તારોમાં પાણી જ પાણી દેખાવા લાગ્યા હતા. મગરો પણ આ જ પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અડધાથી વધુ શહેર પાણીની ચપેટમાં હતું અને ઘણી જગ્યાઓ પર છતો સુધી ભરાઈ ગયું હતું. ગળા સુધીની મુસીબતના આ વાતાવરણમાં, તેનાથી મોટી આફત લોકો માટે મગર બની ગયા. મનુષ્ય અને પાલતુ પ્રાણી પર હુમલો કરતા મગરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આપત્તિ રાહત અને બચાવ ટીમોનું કહેવું છે કે અત્યાર સુધી 25 મગરો પકડાયા છે.

લોકો તેમના ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા છે
શહેરમાં મગરને જોતા લોકોના મનમાં ભય એટલો વધી ગયો છે કે તેઓ ઘરની બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે. લોકોએ આ ઘટનાઓથી ઉભરવા માટે મનોચિકિત્સકની સલાહ લેવી પડી રહી છે. તબીબ રાકેશ જાડેજાએ કહ્યું કે આવી ઘટનાઓની અસર લોકોના મન પર પડી છે. જેને આપણે 'મગર ફોબિયા' કહી શકીએ.

વડોદરાના કેટલાક ભાગોમાં પાણી ભરાયા
જો કે મગર દ્વારા કોઈ વ્યક્તિને મારવાની અથવા કરડવાની ઘટના સામે આવી નથી. જો કે ભયના કારણે લોકો મનોચિકિત્સકોની શરણમાં છે. 31 જુલાઈએ આવેલા પૂર બાદ શહેરમાં મગર દેખાવા લાગ્યા હતા. હવે વડોદરાના કેટલાક વિસ્તારોમાં જ પાણી છે, અન્ય સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ સુધીના લાંબા મગર
વન સહાયક સંરક્ષક વિનોદ દામોરના જણાવ્યા મુજબ મગરને પકડવા 6 ટીમો બનાવવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ લાંબા મગર જોવા મળે છે, પરંતુ અમે અત્યાર સુધી જે પકડ્યા છે તેમાં મોટાભાગના પાંચ ફૂટથી નાના હતા. જોકે, એનડીઆરએફની એક ટીમે 10 ફૂટ લાંબા મગરને પકડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી તાંડવને લીધે 31નાં મોત, 60 માછીમારો લાપતા
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
