CRS Portal : ૧ સપ્ટેમ્બરથી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી CRS પોર્ટલ પર ફરજીયાત

CRS Portal : રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે કામગીરી રાજ્યના આરોગ્ય વિભાગની E-olakh Application પર થતી હતી, તે હવેથી કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) Portal પર કરવામાં આવશે.

આ નવો નિયમ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી લાગુ પડશે અને પોર્ટલ બપોરે ૧૨:૦૦ કલાકથી કાર્યરત થશે.

CRS Portal

આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ પોર્ટલ પર જન્મ અને મરણની નોંધણી વધુ સરળતાથી કરી શકાશે. આ નવા પોર્ટલને સુચારુ રીતે લાગુ કરવા માટે મોટા પાયે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS પોર્ટલની ખાસ તાલીમ અપાઈ છે.

મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે.

આ પોર્ટલને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકારની ટીમ સતત ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખશે અને ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન કરશે.

તમામ શહેરી વિસ્તારની હોસ્પિટલોનું CRS પોર્ટલ પર મેપિંગનું કામ ઝડપથી પૂરું કરવા માટે સંબંધિત રજિસ્ટ્રાર કચેરીઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ પણ ચાલુ રહેશે. આ નિર્ણયથી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X