CRS Portal : ૧ સપ્ટેમ્બરથી રાજ્યમાં જન્મ-મરણની નોંધણી CRS પોર્ટલ પર ફરજીયાત
CRS Portal : રાજ્યમાં જન્મ અને મરણની નોંધણી માટેની પ્રક્રિયામાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી જે કામગીરી રાજ્યના આરોગ્ય વિભાગની E-olakh Application પર થતી હતી, તે હવેથી કેન્દ્ર સરકારના CRS (Civil Registration System) Portal પર કરવામાં આવશે.
આ નવો નિયમ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ થી લાગુ પડશે અને પોર્ટલ બપોરે ૧૨:૦૦ કલાકથી કાર્યરત થશે.

આરોગ્ય અને તબીબી સેવાઓ વિભાગ દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે. આ પોર્ટલ પર જન્મ અને મરણની નોંધણી વધુ સરળતાથી કરી શકાશે. આ નવા પોર્ટલને સુચારુ રીતે લાગુ કરવા માટે મોટા પાયે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારશ્રીઓને રાજ્ય કક્ષાએથી CRS પોર્ટલની ખાસ તાલીમ અપાઈ છે.
મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે.
આ પોર્ટલને લગતી કોઈપણ સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકારની ટીમ સતત ડિજિટલ માધ્યમથી દેખરેખ રાખશે અને ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન કરશે.
તમામ શહેરી વિસ્તારની હોસ્પિટલોનું CRS પોર્ટલ પર મેપિંગનું કામ ઝડપથી પૂરું કરવા માટે સંબંધિત રજિસ્ટ્રાર કચેરીઓ ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ પણ ચાલુ રહેશે. આ નિર્ણયથી નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામગીરી પૂર્ણ કરી શકાશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
