રાજ્યની જમીનો-સ્થાવર મિલકતોની જંત્રીના દરમાં કરાયો વધારોઃ નવા દર તા. ૫મી ફેબ્રુઆરી, ૨૦૨૩થી અમલી
રાજ્ય સરકાર દ્વારા 12 વર્ષ બાદ સ્થાવર અને જંગી મિલકતની જંત્રીમાં ભાવ ડમલ કરી દેવામાં ાવ્યા છે. જે જત્રીની કિમત 100 હતી હવે નાગરીકોએ તેના માટે 200 ચૂકવા પડશે.
રાજ્ય સરકાર દ્વારા જમીન સહિત સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરોમાં પણ સુધારો કરીને વધારો કરવામાં આવ્યા છે. 12 વર્ષ પહેલા જે જૂંત્રાના દર રૂ. 100 હતા જેને 5 ફેબ્રુઆરીથી બમણા કરી દેવામાં આવ્યા છે. સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગુજરાત રાજ્ય દ્વારા આપવામા આવેલ માહિતી મુજબ વર્ષ રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને નાગરીકોને સ્થાવર મિલકતના બજરભાવ નક્કી થઇ શકે તે માટે રાજ્યમાં 2011 થી અમલમાં રહેલા જંત્રીના દરોને ડબલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં થતા ઝડપી ઔદ્યોગિક, શહેરી તથા ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિ ધ્યાને લેતાં રાજ્યમાં સ્થાવર મિલકતના ભાવોમાં ઘણો વધારો થયેલ છે. રાજ્યના વિકાસને અવિરત વેગ મળતો રહે અને આ વધેલા ભાવો મુજબ નાગરિકોની સ્થાવર મિલકતના બજારભાવ નક્કી થઇ શકશે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જમીન સહિતની સ્થાવર મિલકતોની જંત્રીના વર્તમાન દરો સુધારીને બમણા કરવામાં આવ્યાં છે. રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ-૩૨-કના અસરકારક અમલ માટે રાજંયની જમીનો/સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) ૨૦૧૧ના ભાવો તા.૧૮/૦૪/૨૦૧૧થી અમલમાં છે, જેને આશરે ૧૨ વર્ષ જેટલો સમય થયો છે.












Click it and Unblock the Notifications
