Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Biporjoy Update: કચ્છના દરિયાકિનારે ટકરાયું બિપોરજોય, 130 પ્રતિ કલાક ફુંકાયો પવન

Cyclone Biporjoy Update: ચક્રવાતી વાવાઝોડું બિપોચરજોયનું કચ્છમાં લેન્ડફોલ શરૂ થઇ ગયું છે. જે કારણે દરિયાકિનારા પર 130 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. ભારત સરકાર તરફથી ચક્રવાતને કારણે થતા નુકસાનને ઘટાડવા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે.

ભારતીય સેના, NDRF સહિત તમામ એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ ખુદ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ચક્રવાત બિપોરજોયના જોખમને કારણે ગૃહમંત્રી અમિત શાહે તેમનો તેલંગાણા પ્રવાસ રદ્દ કર્યો છે.

Cyclone Biporjoy Update

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, તે સૌરાષ્ટ્ર અને કચ્છ અને જખૌ બંદર નજીક માંડવી અને કરાચી વચ્ચેના પાકિસ્તાની દરિયાકાંઠાને પાર કરશે. હવામાન વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, લેન્ડફોલની પ્રક્રિયા 4 કલાક સુધી ચાલશે.

કેટેગરી 3 ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન​તરીકે વર્ગીકૃત, બિપરજોય 115-125 કિમી પ્રતિ કલાકની મહત્તમ પવનની ઝડપે પહોંચવાની ધારણા છે. બપોર બાદ પવનની ઝડપ વધવાની શક્યતા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સરકારે જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથના આઠ દરિયાકાંઠાના જિલ્લાઓમાં લગભગ એક લાખ લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં લઈ જવામાં આવ્યા છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ચક્રવાતના લેન્ડફોલ દરમિયાન, દરિયામાં ખગોળીય ભરતીથી લગભગ બે-ત્રણ મીટર ઊંચા વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ ત્રણથી છ મીટર ઊંચા મોજા ઉછળી શકે છે. IMDના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતથી થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર એ સુનિશ્ચિત કરશે કે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. વીજળી અને પાણીના પુરવઠામાં કોઈ વિક્ષેપ ન આવે તેની ખાતરી કરવા માટે કરવામાં આવે છે.

ગુરુવારના રોજ પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાત બિપોરજોયના લેન્ડફોલ પહેલા દેશના દક્ષિણ સિંધ પ્રાંતમાં લગભગ 67,000 લોકોને તેમના ઘરોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ચક્રવાતની અસરને કારણે ઘણા શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સંભાવના છે અને તેની સાથે લડવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં મદદ માટે સેના બોલાવવામાં આવી છે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આર્મી, નેવી, એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સહિત તમામ સશસ્ત્ર દળોએ ગુજરાતના સ્થાનિક લોકોને મદદ પૂરી પાડવા માટે જરૂરી તૈયારીઓ કરી છે.

ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે પણ ભારે વરસાદની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે.

IMD દ્વારા કહેવામાં આવ્યું છે કે, લેન્ડફોલની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X