અરવિંદ કેજરીવાલે ગુજરાતના દરેક પરિવારને દર મહિને 27,000 રૂપિયાની બચતનુ આપ્યુ વચન
રવિવારે અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં લોકોને કહ્યુ હતુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો...
ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા દરેક પક્ષ જનતાને વચનો આપી રહ્યા છે. આ ક્રમમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતે ગુજરાતમાં અનેક જાહેર સભાઓમાં ભાગ લીધો છે અને વીજળી, પાણીથી લઈને રોજગાર સુધીના અનેક મહત્વના વચનો આપ્યા છે. રવિવારે અરવિંદ કેજરીવાલે એક જાહેર સભામાં લોકોને કહ્યુ હતુ કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો તે દરેક પરિવારને દર મહિને 27,000 રૂપિયાની બચત કરાવશે. આ વચન સાથે કેજરીવાલે આ બચતને લઈને પોતાની ફોર્મ્યુલા પણ લોકોની સામે મૂકી.

અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'ભગવંત સાહેબ માત્ર 6 મહિનામાં 20 હજાર સરકારી નોકરીઓ લાવ્યા છે. અમને રોજગાર આપતા આવડે છે. AAP દરેક પરિવારને દર મહિને 27000 રૂપિયાની બચત કરાવશે.' કેજરીવાલે કહ્યુ કે તેમાં વીજળી પર 3000 રૂપિયા, શિક્ષણ પર 10,000 રૂપિયા, સ્વાસ્થ્ય પર 5,000 રૂપિયા, મહિલાઓની રકમ પર 3,000 રૂપિયા અને 6000 રૂપિયા બેરોજગારી ભથ્થુ સામેલ છે.
અહીં ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કેજરીવાલે લોકોને બે અપીલ કરી. કેજરીવાલે કહ્યુ કે હું તમને બે વિનંતી કરુ છુ. પ્રથમ - તમે મિત્રો અને સંબંધીઓને વૉટ્સએપ કરશો કે હું આપને વોટ આપીશ, તમે પણ આપને વોટ આપજો. બીજુ - તમે શેરીઓમાં જઈને AAPને મત આપવા માટે 100-100 લોકો બનાવશો. જો તમે સહકાર આપશો તો ભાજપનુ 27 વર્ષનુ શાસન ઉખડી જશે.
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સરકારના યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવા માટે એક સમિતિની રચના કરવાના ઇરાદા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે જો પાર્ટી આમ કરવા માંગતી હોય તો તેણે આ સમગ્ર દેશમાં લાગુ કરવુ જોઈએ. કેજરીવાલે પૂછ્યુ કે શું ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં ભરવા માટે લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહી છે.
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે ભાવનગરમાં પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા. આ વર્ષના અંતમાં યોજાનારી 182 સભ્યોની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ આ અઠવાડિયે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
