નવાગામ મર્ડર કેસના આરોપીને દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યા
નવાગામ મર્ડર કેસના આરોપીને દ્વારકા પોલીસે ગણતરીની કલાકોમાં દબોચ્યા
ભાણવર તાલુકાના નવાગામ ખાતે ચાર ઈસમોએ ધોળા દિવસે એક શખ્સની હત્યા કરી હતી. જે બાબતે મહેશભાઈ ગોરધનભાઈ જાવીયાએ ભાણવડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ચાર આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે 30 મેના રોજ હેશભાઈ ગોરધનભાઈ જાવીયા રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે ચાર ઈસમો લાકડીઓ લઈ ત્યાં પહોંચી ગયા હતા અને લાકડીઓથી તેમના પર હુમલો કરી કર્યો હતો, તથા તેના સંબંધીઓને મારી નાખવાની ધમકી આપી તથા અન્ય ત્રણ ઈસમોએ હરેશભાઈને આડેધડ ઢોરમાર મારતાં માથામાં, પગમાં અને બંને હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી, હરેશભાઈ મૃત્યુ પામતાં ચારેય ઈસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ બાબતે આઈપીસીની કલમ 302, 120બી, 506 (2), 114 જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાસ્પદ ઈસમોની પુછપરછ કરતાં ચાર આરોપી ચમન વેજા પિપરોતર (ઉ.વ.50, નવાગામ), દિવ્યેશ ચનાભાઈ પિપરોતર (ઉ.વ. 22, નવાગામ), બાવા હિંગોરા (ઉ.વ. 55, નવાગામ) અને મિલન વિરમ ઓડેદરા (ઉ.વ. 23, નવાગામ)એ ગુનાની કબૂલાત કરી લીધી છે.
દેવભૂમિ દ્વારકા પોલીસે આ ચારેય આરોપીઓને પકડી તેમના કોવિડ 19 રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. કોવિડ રિપોર્ટ આવી ગયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.