આધુનિક ભારતના દાનવીર ‘કર્ણ’ દીપચંદ ગાર્ડીનું નિધન

મૂળ વઢવાણના દાનવીર દીપચંદભાઇ ગાર્ડીએ પડધરીમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ભાવનગર, સુરેન્દ્રનગર, મુંબઇ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે લંડનમાંથી બેરીસ્ટરની બહુમુખી પદવી પ્રાપ્ત કરી હતી. દીપચંદભાઇ ગાર્ડીએ આરોગ્ય, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે લાખો રૂપિયાનું દાન તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેમને ડી'લીટની પદવી એનાયત કરવામાં આવી હતી.
માત્ર ગુજરાતમાં જ નહીં દેશના આઠ રાજ્યોમાં ગાર્ડી ટ્રસ્ટની 500થી વધુ સંસ્થાઓ છે. આ સંસ્થાઓ શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે કામ કરી રહી છે. સુરેદ્રનગરના મૂળી સાથે દીપચંદભાઈનો લગાવ રહ્યો હતો. મૂળી સ્થિત સ્વામિનારાયણ મંદિરે તે અવારનવાર આવતા હતા. મૂળીમાં જ તેમના નામે ઘણી સંસ્થાઓ ચાલી રહી છે. નિધનના સમાચાર મળતાં મૂળીવાસીઓએ સ્વૈચ્છિક રીતે ચાર વાગ્યા સુધી બંધ પાળ્યો છે.












Click it and Unblock the Notifications
