રાજનાથ સાથે લોકસભા ચૂંટણી 2014 પર વિસ્તારથી ચર્ચા થઇ : નરેન્દ્ર મોદી
બન્ને નેતાઓ વચ્ચે અંદાજે અઢી કલાકની મુલાકાત બાદ પત્રકારોને જણાવ્યું કે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મે ભાજપના નવનિર્વાચિત અઘ્યક્ષ રાજનાથ સિંહ સાથે મળીને તેમને અધ્યક્ષ બનવાની શુભેચ્છા પાઠવી. મુલાકાત બે કલાક સુધી ચાલી અને આ દરમિયાન ગુજરાત સરકારના કામકાજને લઇને તેમણે રાજનાથ સિંહ ગુજરાતને વધુ સારું બનાવવા માટે સૂચનો માંગ્યા હતા.
લોકસભા ચૂંટણી 2014એ ચૂંટણીને લઇને પત્રકારોના પ્રશ્નના જવાબમાં મોદીએ કહ્યું કે, હા, લોકસભા ચૂંટણી 2014ની તૈયારીને લઇને વિસ્તારથી ચર્ચા થઇ અને અમે ભાજપ અધ્યક્ષને આશ્વાસન આપ્યું કે ગુજરાત ભાજપ નેતા અને કાર્યકર્તા જો દેશનું કામ આવે તો અમે પૂરે-પૂરો સહયોગ કરીશું.
મોદી બપોરે 12 વાગ્યે રાજનાથ સિંહના નિવાસ્થાને પહોંચ્યા હતા. રાજનાથ સિંહ અધ્યક્ષ બન્યા ત્યાર પછીની આ પહેલી મુલાકાત છે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, સંસદીય બોર્ડમાં મુખ્યમંત્રીઓને સ્થાન નહીં આપવામાં આવતા રાજનાથ સિંહ અને મોદીના સંબંધો બગડ્યા હતા, પરંતુ રાજનાથ સિંહને અધ્યક્ષ બનાવાયા બાદ મોદીએ જે રીતે ટ્વિટ કર્યું અને બાદમાં આ મુલાકાતને લોક ચર્ચાને ખોટી પાડી છે.
આ પહેલા આજે સવારે નવી દિલ્હી રવાના થતા પહેલા નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા જાણકારી આપી કે તે દિલ્હી જઇ રહ્યાં છે અને નક્કી કાર્યક્રમ અનુસાર ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહ સાથે મુલાકાત થવાની છે. આ મુલાકાત રાજનાથ સિંહને શુભેચચ્છા આપવા માટે છે.