ઉત્તરાયણ બાદ પક્ષીઓ અને લોકોની સુરક્ષા માટે હર્ષ સંઘવીની નમ્ર અપીલ, ‘લટકતી દોરી હટાવો, જીવ બચાવો’
Gujarat News: ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું હતું, પરંતુ તહેવાર પૂરો થયા બાદ રસ્તાઓ, વૃક્ષો અને વીજળીના તાર પર લટકતી પતંગની દોરીઓ (માંજો) ચિંતાનો વિષય બને છે. આ બાબતને ધ્યાને રાખીને રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી નાગરિકોને એક અત્યંત મહત્વની અને માનવીય અપીલ કરી છે.

શું છે હર્ષ સંઘવીની સોશિયલ મીડિયા પોસ્ટ?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, આશા છે કે સૌએ પરિવાર અને મિત્રો સાથે પતંગબાજીનો ભરપૂર આનંદ માણ્યો હશે. પરંતુ, હવે સમય છે થોડી સાવચેતી રાખવાનો. તેમણે લોકોને વિનંતી કરી છે કે જ્યારે તમે પતંગ ચગાવીને ઘરે પરત ફરો અથવા બીજા દિવસે સવારે તમારા આસપાસના વિસ્તારમાં નજર કરો, ત્યારે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખો.
- ટેરેસ અને અગાસીની સફાઈ: પતંગબાજી બાદ અગાસીમાં પડેલી વધારાની દોરીના ગૂંચળા સલામત રીતે કચરાપેટીમાં નાખો.
- વૃક્ષો પર લટકતી દોરી: જો કોઈ વૃક્ષની ડાળીઓ પર દોરી લટકતી હોય તો તેને કાળજીપૂર્વક ઉતારી લો.
- વીજળીના પોલ: વીજળીના થાંભલા કે વાયરો પર ફસાયેલી દોરીઓ પક્ષીઓ માટે ફાંસો બની શકે છે, તેને હટાવવામાં સહકાર આપો.
આશા છે કે આજે તમે મિત્રો અને પરિવાર સાથે પતંગ ચગાવવાનો આનંદ માણી રહ્યા હશો.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 14, 2026
મારી એક નમ્ર વિનંતી છે જ્યારે તમે ઘરે પરત ફરો, ત્યારે જો ટેરેસ,વૃક્ષો કે વીજ પોલ પર પતંગની દોરી લટકતી દેખાય, તો કૃપા કરીને તેને નીચે ઉતારીને સલામત જગ્યાએ રાખશો.
તમારું આ નાનું પગલું કોઈ પક્ષીનો જીવ બચાવી…
કેમ દોરી હટાવવી જરૂરી છે?
હર્ષ સંઘવીએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, લટકતી દોરીઓ માત્ર પક્ષીઓ માટે જ નહીં, પરંતુ રસ્તા પરથી પસાર થતા ટુ-વ્હીલર ચાલકો અને નિર્દોષ રાહદારીઓ માટે પણ અત્યંત જોખમી સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણ પછી અનેક પક્ષીઓ આ જીવલેણ દોરીમાં ફસાઈને જીવ ગુમાવે છે અથવા અપંગ બને છે.
"તમારું એક નાનું પગલું કોઈ અબોલ પક્ષીનો જીવ બચાવી શકે છે અને મોટી દુર્ઘટના ટાળી શકે છે. કૃપા કરીને આ માનવતાના કાર્યમાં સહભાગી બનો." - હર્ષ સંઘવી
સુરક્ષા અને માનવતાનો સંદેશ
તહેવારનો આનંદ ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તેનાથી કોઈને નુકસાન ન થાય. હર્ષ સંઘવીની આ અપીલને સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો પણ એકબીજાને દોરી સાફ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વહીવટી તંત્ર પણ પક્ષીઓના બચાવ માટે 'કરુણા અભિયાન' હેઠળ કાર્યરત છે, ત્યારે નાગરિકોનો આ નાનો સહયોગ મોટું પરિવર્તન લાવી શકે છે.
-
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા











Click it and Unblock the Notifications
