રાજ્યમાં ત્રણ અકસ્માતમાં નવજાત સહિત 8 લોકોના મોત
ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક નવજાત શિશુ સહિત આઠ લોકોના મોત થયા છે.
ગાંધીનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એક નવજાત શિશુ સહિત આઠ લોકોના મોત થયા છે. પ્રથમ અકસ્માતમાં ગાંધીનગરના કલોલમાં મંગળવારની રાત્રે અન્ય એક માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે એક ઝડપી ડમ્પર ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, કલોલના શેરીસા ગામ પાસે આ અકસ્માત થયો હતો, જેમાં વિષ્ણુજી ઠાકોર (24), તેમની પત્ની ભારતી ઠાકોર (22) અને તેમના દોઢ વર્ષના પુત્ર ચેહર ઠાકોરનું મોત નીપજ્યું હતું.
કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું, મૃતકો ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક ટ્રકે કાબૂ ગુમાવ્યો અને તેમને ટક્કર મારી ફગાવી દીધા હતા. અમે ટ્રક ચાલક સામે IPC 304 A હેઠળ કેસ નોંધ્યો છે. જે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર પીડિત લોકો મુસાફરી કરી રહેલા ઓટોરિક્ષાને પાછળથી કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં મંગળવારની રાત્રે 10 કલાકની આસપાસ બે મહિલાઓ સહિત ત્રણ વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. મૃતકોની ઓળખ નંદુબેન પરમાર (19), પુષ્પા વાણિયા (18) અને હિતેશ સાબરીયા (19) તરીકે થઈ છે, જેઓ તમામ સુરેન્દ્રનગરના રહેવાસી છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, મૃતક નંદુ અને પુષ્પા સહિત ચાર મહિલાઓ હિતેશ દ્વારા ચલાવાતી ઓટોરિક્ષામાં બેસીને ધ્રાંગધ્રા શહેરમાં તેમના ઘર તરફ જઈ રહી હતી, ત્યારે પાછળથી કોઈ અજાણ્યા વાહને ઓટોને ટક્કર મારી હતી. બે પીડિતોને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અમે અજાણ્યા વ્યક્તિઓ સામે આઈપીસી 304 a હેઠળ બેદરકારીના કારણે મૃત્યુ અને 279 હેઠળ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અંગેનો ગુનો દાખલ કર્યો છે.
ત્રીજા અકસ્માતમાં રાજકોટના ગોંડલ શહેરમાં બુધવારના રોજ એક ઝડપી બોલેરોએ અલ્ટો કારને ટક્કર મારતાં બે વ્યક્તિના મોત થયા હતા અને બે વધુ ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ જયાબેન (71) અને રોહિત (40) તરીકે થઈ છે.












Click it and Unblock the Notifications
