આ રાજ્યો કરતા પણ વધુ માંસાહારી ગુજરાતમાં, જાણો રાજ્યની કેટલા ટકા વસ્તી માંસાહારી
રાજ્યની લગભગ 40 ટકા વસ્તી ઇંડા અથવા માંસ ખાય છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતાં વધુ માંસાહારી ગુજરાતમાં છે. રાજ્યમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ માંસાહારી છે. રાજ્યમાં 38 ટકા મહિલાઓ માંસાહારી છે.
રાજ્યની લગભગ 40 ટકા વસ્તી ઇંડા અથવા માંસ ખાય છે. રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો કરતાં વધુ માંસાહારી ગુજરાતમાં છે. રાજ્યમાં સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ માંસાહારી છે. સરકારી અધિકારીઓ કહે છે કે, રાજ્યમાં 38 ટકા મહિલાઓ માંસાહારી છે. રાજસ્થાન કરતા ગુજરાતમાં 55 ટકા વધુ માંસાહારી છે, જે ભારતમાં સૌથી વધુ શાકાહારી રાજ્ય છે, જ્યાં માત્ર 25.1 ટકા લોકો જ માંસાહારી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ડેટા 2014ના સેમ્પલ સર્વેનો છે અને આજે આ સંખ્યા ઘણી વધારે હોય શકે છે.
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, આઝાદીથી પંજાબ શાકાહારી રાજ્ય રહ્યું છે અને તે ધર્મમાં પણ વણાયેલું છે. ગુજરાતમાં આપણે એ હકીકતને સ્વીકારવાનું બાકી છે કે, રાજ્યમાં ઘણા બધા માંસાહારી છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે અને સુરતથી કચ્છ સુધી દરિયાકાંઠે વસતી અને માછીમારી સાથે સંકળાયેલા લોકો માંસાહારી છે. કોળી સમુદાય, આદિવાસીઓ અને મોટાભાગના OBC સમુદાયો માંસાહારી છે. આ ત્રણ જૂથો બહુમતી વસ્તી બનાવે છે અને લઘુમતીઓ સાથે આપણે સરળતાથી કહી શકીએ કે, ગુજરાત એક માંસાહારી રાજ્ય છે.
ગૌરાંગ જાનીએ જણાવ્યું હતું કે, પાછલી સદીઓમાં ગુજરાતના ઉચ્ચ વર્ગે તેમની ખાદ્યપદાર્થોની પસંદગીઓ લાદી હતી અને ત્યારથી રાજ્ય વધુ શાકાહારી બન્યું છે. આ રસપ્રદ વાત અને મનોરંજક વાત છે કે, ગુજરાતીઓને દાળ-ભાત (કઠોળ અને ચોખા) અને ફાફડા અને ઢોકળા સાથે સાંકળવામાં આવે છે. લોકો માંસ અથવા ઈંડા ખાય છે, તે જાહેર કરતા નથી, તેથી સર્વેક્ષણોમાં સંખ્યાઓ ઓછી નોંધવામાં આવી છે. આપણે હજૂ સુધી સ્વીકાર્યું નથી કે, આપણે એક માંસાહારી રાજ્ય છીએ.
જાનીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નોન-વેજ ફૂડનો વપરાશ વધી રહ્યો છે. યુવા પેઢી જાતિ અથવા સમુદાયને ધ્યાનમાં લીધા વગર માંસાહારી ખોરાક લે છે. ગુજરાતમાં ઘણા સંપ્રદાયો શાકાહારી ખોરાકની હિમાયત કરે છે અને ડુંગળી અને લસણ ખાવાની પણ વિરુદ્ધ છે.
રાજ્યમાં ઇંડાના ઉત્પાદનમાં વધારો થયો છે. સામાજિક-આર્થિક સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, વર્ષ 2019-20માં રાજ્યમાં ઇંડાનું ઉત્પાદન અત્યાર સુધીનું સૌથી વધુ હતું. વર્ષ 2019-20માં ગુજરાતમાં ઈંડાનું ઉત્પાદન 192 કરોડ નંગનું હતું. મુખ્ય પશુધન ઉત્પાદનોના ઈન્ટિગ્રેટેડ સેમ્પલ સર્વે (ISS) મુજબ ઈંડાનું ઉત્પાદન વર્ષ 2018-19માં 185 કરોડથી વધીને 2019-20માં 192 કરોડ થયું છે.
રાજ્ય સરકારના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ઉત્પાદિત 43 ટકા ઇંડા રાજ્યની અંદર જ ખવાય છે અને બાકીના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. જો કે, ગુજરાતને પડોશી મહારાષ્ટ્રમાંથી પણ ઈંડા મળે છે.