14મી ઓગસ્ટે વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસનું કમલમ્ પર પ્રદર્શન
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના ઇતિહાસમાં 14 મી ઓગસ્ટ નો દિવસ અંત્યત દુખ સાથે યાદ કરવામાં આવે છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવુ
વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. દેશના ઇતિહાસમાં 14 મી ઓગસ્ટ નો દિવસ અંત્યત દુખ સાથે યાદ કરવામાં આવે છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબનું માનવુ છે કે આ દિવસે નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઇઓએ વિસ્થાપિત થવું પડયું હતું આ જ કારણે વિર શહિદોના બલિદાનની યાદમાં 14મી ઓગસ્ટને વિભાજીત વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનુ આહવાન દેશવાસીઓને કર્યુ છે. આ સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રદર્શનનીનું ઉદ્ધાટન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનું પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉદ્ધાટન કર્યા બાદ જણાવ્યું કે, 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી છે. પરંતુ 14મી ઓગસ્ટ આપણા દેશ વાસીઓ માટે ખૂબ જ પિડાદાયક ગણી શકાય આ દિવસે દેશનું વિભાજન થયું અને જે કરુણતિંકા સર્જાઇ તેમાં લાખો લોકો જીવ ગુમાવ્યા હતા. નફરત અને હિંસાને કારણે લાખો લોકોએ વિસ્થાપિત થવું પડયું લોકોના સંધર્ષ અને બલિદાનની યાદમાં14મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા દિવસ તરિકે ઉજવવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગત વર્ષે આહવાન કર્યુ હતું. આ વર્ષે દરેક જિલ્લામાં વિર શહિદોની યાદમાં પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક મંડળોમાં 14મી સાંજે મૌન રેલી અને સાથે સાથે મશાલ રેલીનું આયોજન કરવામાં આવનાર છે. આવા કાર્યક્રમો થકી આજની યુવા પેઢી જાણી શકે કે દેશને આઝાદી સરળતાથી નથી મળી કેટ કેટલાય નામી-અનામી વિરોએ શહિદી વ્હોરી છે. અને આ દિવસનો ઇતિહાસ પણ યુવા પેઢી સમજે તે ખૂબ જરૂરી છે.