બનાસકાંઠાના ખેડૂતો દીપ પ્રગટાવી મુક્તેશ્વર ડેમમાં પાણી આપવા આંદોલન કરશે
બનાસકાંઠાના ખેડૂતો દીપ પ્રગટાવી મુક્તેશ્વર ડેમમાં પાણી આપવા આંદોલન કરશે
બનાસકાંઠામાં પાણીની સમસ્યા હજુ પુર્ણ રીતે સંતોષાઇ નથી. પાણી માટે ક્યારેક થરાદમાં તો ક્યારેક વડગામ કે દાંતામાં આંદોલન કરવા પડી રહ્યા છે. ત્યારે, હવે વડગામ તાલુકાના ખેડૂતો સકારાત્મક રીતે ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવ્યો હતો. જળ આંદોલનમાં ભારતીય કિસાન સંઘ તેમજ જળ આંદોલન સમિતિ દ્વારા ખેડૂતોને દીવા પ્રગટાવવા અપીલ કરવામાં આવી હતી. વડગામ તાલુકાની જનતાએ દીપ પ્રગટાવી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માંગણી કરી અને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો.. આ માટે ઠેર ઠેર અને ઘરે ઘરે દીપ પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના 125 ગામના ખેડૂતો સહિત અન્ય ખેડૂતો પણ આ આંદોલનમાં જોડાયા હતા.

તાજેતરમાં મુક્તેશ્વર ડેમ તેમજ કરમાવાદ તળાવમાં પાણી નાખવાના મુદ્દે 20 હજારથી વધુ ખેડૂતોની મહા રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે ખેડૂતોએ દીપ પ્રગટાવી પોતાની માંગણી રજૂ કરવા પ્રયત્ન કર્યો હતો. ગુરુ મહારાજના નામથી ઘરે ઘરે દીવા પ્રગટાવી સરકાર સામે આજે રાત્રે વિરોધ નોંધાવ્યો હતો.
આ આંદોલનમાં મુસ્લિમ સમાજના પણ ઘણા ખેડૂતો જોડાયા હતા. ત્યારે મુસ્લિમ સમાજના ખેડૂતો ઈબાદત કરે તેમજ નમાજ પઢી કુદરત પાસે પાણી જલ્દી નખાય તે માટે દુઆ કરવા પણ અપીલ કરી હતી. આજે રાત્રેએ ઘરે ઘરે દીવા પ્રગટાવી વિરોધ નોંધાવશે. જો પાણીની માંગ પૂરી નહી થાય તો આગામી સમયમાં 40 હજારથી વધુ મહિલાઓની મહારેલી યોજવા ખેડૂતો મક્કમ બન્યા છે.












Click it and Unblock the Notifications
