મુંબઈ- અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત
મુંબઈ- અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત, એકનું મોત
સોમવારે મોડી રાતે મુંબઈ- અમદાવાદ હાઈવે પર બે ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત વલસાડ જિલ્લાના પારદી ગામ પાસે થયો છે. ઘટનાને પગલે એક ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે. અકસ્માત એવો ભયંકર હતો કે બંને ટ્રકમાં આગ લાગી ગઈ હતી. માહિતી મળતાં જ ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી.

ફાયર ફાયટર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, 'NH-48 પર અકસ્માત સર્જાયો હોવાની અમને સૂચના મળી હતી. આગ પર કાબૂ મેળવવા માટે અમે વધુ બે ટેંકર બોલાવ્યાં છે. એકે ચાલકનું મોત થયું છે.' મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગત કેટલાક મહિના પહેલાં પણ મુંબઈ-અમદાવાદ હાઈવે પર આવો જ અકસ્માત સર્જાયો હતો. તે સમયે પણ ટ્રક વચ્ચે ટક્કર બાદ આગ લાગી ગઈ હતી, જો કે તે ઘટનામાં કોઈ જાનહાની નહોતી થઈ.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 3 વાગ્યે 30 મિનિટ પર બની હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી જતાં સ્થાનિક ફાયર ફાયટર વિભાગના કર્મીઓ તથા પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને અડધા કલાકની જહેમત બાદ તેમણે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
-
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું?






Click it and Unblock the Notifications
