અમદાવાદમાં ગોળીબારઃ વેપારીની હત્યા, 92 લાખની લૂંટ
અમદાવાદ, 15 જાન્યુઆરીઃ શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે સવારે 10 વાગ્યાની આસપાસ બ્લેક પલ્સર પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લેઆમ ગોળીબાર કરી એક આધેડ વેપારીની હત્યા કરવામાં આવી છે અને રૂપિયા 92 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે. પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તેઓ કારમાંથી પૈસા કાઢવાના જ હતા ત્યાં એક બ્લેક પલ્સરમાં આવેલા ત્રણ બુકાનીધારીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં હિતેષભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ, જ્યારે બુકાનીધારીઓ સાથેની ઝપાઝપીમાં બે લોકોને ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને લૂંટારાઓને પકડી પાડવા માટે કવાયદ આદરી છે.












Click it and Unblock the Notifications
