જસ્ટીસ મેહતા લોકાયુક્ત બનાવા માંગતા જ નથી?
અમદાવાદ, 11 જાન્યુઆરી: તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક તરફી ચૂકાદો આપ્યા બાદ પણ ગુજરાતમાં સ્થિતિ એવી ઉભી થઇ રહી છે જાણે કે લોકાયુક્ત મામલે હજી અવઢવભરી સ્થિતિ હોય. કારણ કે લોકાયુક્ત તરીકે નિમણૂંક પામેલા પૂર્વ જસ્ટિસ આર. એ. મહેતા સુપ્રિમ કોર્ટ તરફથી દરવાજો ખોલી દીધા પણ પોતાનો ચાર્જ સંભાળવામાં વિલંબ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો પ્રમાણે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ લોકાયુક્ત બનવા જ માગતા નથી. આ ઉપરાંત આર.એ. મહેતાને તેમના પરિવાર તરફથી પણ લોકાયુક્ત બનવા માટે સમર્થન મળી રહ્યું નથી તેવા પણ સમાચાર છે. આ બધાની વચ્ચે તેઓ ક્યારે લોકાયુક્ત તરીકે પોતાનું પદ ગ્રહણ કરશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ કમલા બેનિવાલ તરફથી સૂચવવામાં આવેલા નામ સામે રાજ્ય સરકારે પહેલા વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત આ મુદ્દે રાજ્યપાલે રાજ્ય સરકારનો અભિપ્રાય મેળવ્યો ન હોવાનો આક્ષેપ પણ મોદી સરકારે કરી આ નિમણૂકને અદાલત સમક્ષ પડકારી હતી. જોકે બધી હરકતોની વચ્ચે સુપ્રિમ કોર્ટે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકને યોગ્ય ઠેરવી હતી. સાથે સાથે એમ જણાવ્યું હતું કે રાજ્યપાલે રાજ્ય સરકારનો આ અંગે પરામર્શ લેવાની જરૂર હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
