Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વીજળી બિલમાં લેવાતો ફ્યૂલ સરચાર્જ સસ્તો ઘટ્યો, 1.40 કરોડ ગુજરાતીઓને ફાયદો થશે

વીજળી બિલમાં લેવાતો ફ્યૂલ સરચાર્જ સસ્તો ઘટ્યો, 1.40 કરોડ ગુજરાતીઓને ફાયદો થશે

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી વીજળી કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વીજળી બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂલ સરચાર્જ લેવામાં આવી રહ્યો છે. હવે સરકારે આ ફ્યૂલ સરચાર્જમાં પ્રતિ યૂનિટ 19 પૈસા કટૌતી કરવાનો ફેસલો લીધો છે. આ કટૌતી મુખ્ય રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસા અને સસ્તા ગેસના કારણે કરાયો હોવાની જાણકારી આપવામાં આવી છે. જો કે વિપક્ષ દ્વારા પેટાચૂંટણીને કારણે સરકારે આ પગલું ભર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.

electricity

ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, ગ્રાહકો પાસેથી વીજળી બિલમાં એનર્જી ચાર્જ ઉપરાંત ફ્યૂલ સરચાર્જ લેવામાં આવે છે. જેની વસૂલી ગુજરાત વિદ્યુત નિયામક આયોગ દ્વારા નક્કી ફોર્મ્યુલાના આધારે કરવામાં આવે છે. પાછલા ક્વાર્ટરે એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2020 દરમ્યાન ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડને આધીન આવતી ચારેય વીજળી વિતરણ કંપનીઓએ યૂનિટ દીઠ 2 રૂપિયાના દરે ફ્યૂલ સરચાર્જ વસૂલ કર્યો હતો. પરંતુ હવે ઓક્ટોબર 2020થી ડિસેમ્બર 2020ના ક્વાર્ટર દરમ્યાન ફ્યૂલ સરચાર્જ પ્રતિ યૂનિટ 1.18 રૂપિયાના દરે વસૂલ કરવામાં આવશે.

સરકાર મુજબ આ કટૌતી મુખ્ય રૂપે આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તા કોલસા અને સસ્તી ગેસની ઉપલબ્ધતાના કારણે કરવામાં આવી રહી છે. આનાથી રાજ્યના 1.40 કરોડથી વધુ ગ્રાહકોને 3 મહિનામાં 356 કરોડ રૂપિયાથી વધુની રાહત મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X