હરિયાળા શહેર તરીકેની ઓળખ ગુમાવતું જતું ગાંધીનગર
2 ઑગષ્ટ, ગાંધીનગર: ગુજરાત રાજ્યનું પાટનગર એટલે ગાંધીનગર જિલ્લાનું વડું મથક ગાંધીનગર શહેર. ગાંધીનગર જિલ્લામાં માણસા, કલોલ, દહેગામ અને ગાંધીનગર એમ ચાર તાલુકા આવેલા છે. ગાંધીનગરમાં તમામ પ્રકારની રાજની વડી કચેરીઓ, તમામ વિભાગોનું સચિવાલય, મંત્રીઓની કચેરીઓ, મંત્રીઓના નિવાસ સ્થાન, વિધાનસભા, રાજપાલશ્રીનું નિવાસ સ્થાન- રાજભવન વગેરે અગત્યની કચેરીઓ અને મકાનો આવેલાં છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ માટેના રહેઠાણો તથા ખાનગી રહેઠાણો ૩૦ સેકટરોમાં આવેલાં છે. જેમાં તમામ કોમોના લોકો નિવાસ કરે છે.
ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ-સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે
ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ અક્ષરધામ-સ્વામિનારાયણ સંકુલ, હરણોદ્યાન, રમત-ગમત સંકુલ, બગીચાઓ વગેરે જોવા લાયક છે. આ ઉપરાંત અડાલજમાં વાવ, કલોલમાં ઇફકો રીફાઇનરી-ફર્ટીલાઇઝર વગેરે આવેલાં છે.
વૃક્ષોનું નિકંદન
ગાંધીનગર એક સમયે રાજ્યનાં હરીયાળા શહેરમાં પ્રથમ સ્થાને ગણાતા ગાંધીનગર શહેરમાં વિવિધ વિકાસ કામોને પગલે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતાં શહેરની હરીયાળી પર ભારે અસર વર્તાઇ રહી છે.
હરીયાળા શહેરમાં બીજા ક્રમે
ગાંધીનગર શહેર ગુજરાત રાજ્યનાં હરીયાળા શહેરનાં ક્રમાંકમાં આણંદ-ખેડા પછી બીજા ક્રમે પાછળ ધકેલાઇ ગયું છે.
નંબર બનાવવાના પ્રયત્નો
ગાંધીનગર શહેરને ફરી નંબર-1 હરીયાળુ શહેર બનાવવાની પ્રતિજ્ઞા સાથે ગાંધીનગર વન વિભાગે કમર કસી છે.
વૃક્ષારોપણ
ચોમાસાની સિઝન દરમિયાન વન વિભાગ દ્વારા ખાતાકીય વાવેતર વધારી દેવા સાથે મોટી સંખ્યામાં રોપા તૈયાર કરી વેચવા અને વિતરણ કરવામાં આવી રહ્યાં છે.
વૃક્ષોનું આડેધડ કટીંગ
ગાંધીનગર એક સમયે રાજ્યનાં હરીયાળા શહેરમાં પ્રથમ સ્થાને ગણાતા ગાંધીનગર શહેરમાં વિવિધ વિકાસ કામોને પગલે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતાં શહેરની હરીયાળી પર ભારે અસર વર્તાઇ રહી છે.
વિકાસની લાયમાં વૃક્ષોનું નિકંદન
ગાંધીનગર શહેર કૂદકે ને ફૂદકે હરણફાળ વિકાસ કરી રહ્યું છે પરંતુ આ વિકાસની લાયમાં શહેર ગ્રીન સિટીની ઓળખ ગુમાવવા તરફ આગળ ધપી રહ્યું છે.
વૃક્ષ પ્રત્યાર્પણ
ગુજરાત સરકારની અનોખી પહેલ હેઠળ વૃક્ષ છેદન નહી પણ વૃક્ષ જતન કરવાના હેતુથી વૃક્ષોને મૂળિયા સાથે ઉપાડીને બીજા સ્થાને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.
વૃક્ષ છેદન નહી પણ વૃક્ષ જતન
ગુજરાત સરકારની અનોખી પહેલ હેઠળ વૃક્ષ છેદન નહી પણ વૃક્ષ જતન કરવાના હેતુથી સરકાર દ્વારા વૃક્ષ પ્રત્યાર્પણની કામગીરી હાથ ધરાઇ હતી.