આ મહિનાના અંત સુધી નહિ ખુલે શાળા કોલેજો, બધા શૈક્ષણિક કામકાજ પણ બંધ
સરકારે આદેશ આપ્યા છે કે શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે.
કોરોના મહામારીની કોઈ વેક્સીન તૈયાર ન હોવાના કારણે આનુ સંક્રમણ સતત ઝડપથી ફેલાઈ રહ્યુ છે. એવામાં સરકારે આદેશ આપ્યા છે કે શાળા કોલેજો આ મહિનાના અંત સુધી નહિ ખુલે. બધા શૈક્ષણિક કામકાજ પણ આ દરમિયાન બંધ રહેશે. હવે શાળા-કોલેજોના સંદર્ભમાં રાજ્ય સરકારે ગઈ વખતની જેમ આ વખતે કોઈ દિશા-નિર્દેશ જારી કર્યા નથી. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે અનલૉક-1 અને 2માં ગાઈડલાઈન જારી કરીને શાળા-કૉલેજોને બંધ કરીને રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે અનલૉક-3માં કૉલેજોને 31 ઓગસ્ટે સુધી બંધ રાખવાનો આદેશ તો આપ્યો છે પરંતુ આની કોઈ ગાઈડલાઈન જારી કરવામાં આવી નથી. શાળા કોલેજોના ઓગસ્ટના મહિનામાં જ નથી ખુલતા જોઈ કૉલેજ સંચાલક, પ્રોફેસર તેમજ કર્મચારી પરેશાન છે. તેમનુ કહેવુ છે કે જો કૉલેજમાં કામકાજ શરૂ કરવામાં આવે છે તો સરકારના આદેશના અવગણના થશે પરંતુ કોલેજ ખોલવામાં ન આવ્યા તો પરીક્ષા પણ સમયે નહિ થાય.
તમને જણાવી દઈએ કે આ પહેલા ગુજરાત સરકારે રાજ્યમાં ધોરણ 3થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો હતો. શિક્ષણ મંત્રીએ કહ્યુ હતુ કે આ સંદર્ભમાં જીસીઈઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તૈયારીઓ જલ્દી શરૂ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ખાનગી સ્કૂલો દ્વારા મફત ઑનલાઈન શિક્ષણ આપવાનો ઈનકાર કરાયા બાદ સરકાર ગુજરાત કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપશે કારણકે શિક્ષણ સૌનો અધિકાર છે.












Click it and Unblock the Notifications
