ગુજરાત: 800 એકડ સરકારી જમીન ઘોટાળાની ભેટ, 3 સસ્પેન્ડ
ગુજરાતમાં 800 એકડ સરકારી જમીન અગ્રિકલચર લેન્ડ સેલિંગ નિયમ હેઠળ ખોટો ઉપયોગ કરવાનો મામલો સામે આવ્યો છે.
ગુજરાતમાં 800 એકડ સરકારી જમીન અગ્રિકલચર લેન્ડ સેલિંગ નિયમ હેઠળ ખોટો ઉપયોગ કરવાનો મામલો સામે આવ્યો છે. અહીં સુરેન્દ્રનગર જિલ્લાના બામણબોર અને જીવાપુર ગામમાં સરકારી જમીનોને કેટલાક ઓફિસરો ઘ્વારા અંગત લોકોને સોંપી દેવામાં આવી. પોલ ખુલ્યા પછી આ ઓફિસરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મળતી જાણકરી અનુસાર રાજ્ય સરકારને જમીનનો ખોટો ઉપયોગ કરવાની ફરિયાદ મળવા પર સુરેન્દ્રનગર નિવાસી આંતરિક કલેક્ટર ચંદ્રકાન્ત પંડ્યા, ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર વિઝેડ ચૌહાણ અને પ્રભારી મામલતદાર જેએલ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને તપાસના અંતર્ગત લેવામાં આવ્યા છે. આ તપાસ કેન્દ્રીય જાંચ બ્યુરો ઘ્વારા કરવામાં આવશે.

અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તે ત્રણ ઓફિસરો વિરુદ્ધ સેવા શિસ્ત અપીલ નિયમ અનુસાર ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરી શરુ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો તેઓ દોષી સાબિત થશે તો આ ઓફિસરો સામે સખત પગલાં પણ લેવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટઃ આયુર્વેદિક સ્પામાં ચાલતું હતું કુટણખાનુ, 2 ઝડપાયા












Click it and Unblock the Notifications
