રાજુ કરપડાએ AAP છોડવા મુદ્દે મૌન તોડ્યુ, જાણો કેમ છોડી પાર્ટી?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે. પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ અચાનક રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
શરૂઆતમાં આ રાજીનામા પાછળ ભાજપ જવાબદાર હોવાની ચર્ચાઓ હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. રાજુ કરપડાએ પોતે સામે આવીને પક્ષના આંતરિક વહીવટ અને નેતાગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

કરપડાએ વ્યથા ઠાલવતા જણાવ્યું કે બે પક્ષોની લડાઈમાં નિર્દોષ ખેડૂતોએ જેલ ભોગવવી પડી હતી. જે ખેડૂતોએ ક્યારેય પોલીસ સ્ટેશન જોયું નહોતું, તેઓ જેલમાં પરિવારની અને જામીનની રાહ જોતા હતા.
તેમણે આરોપ લગાવ્યો કે ખેડૂતોને જેલમાંથી છોડાવવા માટે પાર્ટીએ પૂરતા પ્રયત્નો કર્યા નથી. જેલમાં રહેલા 68 ખેડૂતોના પરિવારોની હાલત જોઈને તેમની આંખમાં આંસુ આવી ગયા હોવાનું તેમણે જણાવ્યું.
પક્ષ પર વચનભંગનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે હાઈકોર્ટમાં સારા વકીલ રોકવાની ખાતરી અપાઈ હતી. જોકે, સુનાવણી વખતે કોઈ મોટા વકીલ હાજર ન રહેતા ખેડૂતોની જામીન અરજી નામંજૂર થઈ હતી.
રાજુ કરપડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે મોઢે પાન ચાવ્યા હોય તે મોઢે કોલસો ચાવવો યોગ્ય નથી. આથી જ તેમણે ખેડૂતોના હિત માટે પક્ષ સાથે છેડો ફાડવાનો મક્કમ નિર્ણય કરી લીધો છે.
વધુમાં તેમણે ગોપાલ ઇટાલિયા અને સોરઠિયા જેવા નેતાઓ સામે પણ સીધું નિશાન સાધ્યું છે. તેમણે દાવો કર્યો કે સત્ય વાત કેજરીવાલ સુધી પહોંચાડનારને પક્ષમાં સાઈડલાઈન કરવાનું ષડયંત્ર ચાલે છે.
કરપડાએ ભવિષ્યની યોજના અંગે કહ્યું કે તેઓ હવે કોઈ રાજકીય પક્ષમાં જોડાયા વગર કામ કરશે. તેઓ માત્ર ખેડૂતોના પ્રશ્નો માટે બિનરાજકીય રીતે મેદાનમાં રહીને લડત આપવાનું ચાલુ રાખશે.
ખેડૂતોના નામે માત્ર રાજનીતિ થાય તે તેમને મંજૂર નથી તેમ જણાવી તેમણે પદ છોડ્યું છે. હવે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં આ રાજીનામાની મોટી અસર જોવા મળી શકે છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
