અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ ટૂંક સમયમાં જેલમાંથી ફોન કરી શકશે
અમદાવાદ, 27 ઓગસ્ટ : ગુજરાતમાં જેલના કેદીઓ માટે એક નવી પહેલ થવા જઇ રહી છે. જેલમાં ગેરકાયદેસર રીતે થતા મોબાઇલ ફોનના ઉપયોગને અટકાવવા માટે અમદાવાદની સાબરમતી જેલમાં ટૂંક સમયમાં જેલમાંથી જ કેદીઓને ફોન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જેલમાં બે-પાંચ નહીં પરંતુ, 25થી 30 ફોન લગાવવામાં આવશે. આ બાબતની દરખાસ્ત 6 મહિના પહેલા આગળ મંજુરી માટે મોકલવામાં આવી છે. આ પહેલનો અન્ય એક હેતુ આરોપી અને દોષિતોને જેલની બહારની દુનિયા સાથે સંપર્કમાં રહેવાનો હક પ્રદાન કરવાની દિશામાં પણ પ્રયાસ છે.

આ સંદર્ભમાં ગુજરાતના ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર 'આ પ્રકારની સુવિધા તમામ પ્રકારના કેદી માટે ઉપલબ્ધ બનશે નહીં. આ સુવિધામાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ, આતંકવાદ, લૂંટ અને અન્ય ગંભીર ગુનામાં સંડોવાયેલા કેદીઓને બાકાત રાખવામાં આવશે.'
આ અંગે ગૃહ મંત્રી રજનીકાંત પટેલનું કહેવું છે કે જેલમાં જાહેર ફોન બુથ છે. જો કે તે આટલા બધા કેદીઓ માટે અપર્યાપ્ત હોવાથી અમે વધારે ફોન મૂકવાનો વિચાર કર્યો છે. આ વિચાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કામ કરતા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ દ્વારા સૂચવાયો છે. આ પ્રકારની સુવિધા દેશની તિહાર જેલ અને ચંદીગઢ જેલમાં ઉપલબ્ધ છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી








Click it and Unblock the Notifications
