ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક અદ્ધરતાલ
ગાંધીનગર, 12 ઓગસ્ટ : ગુજરાતમાં જસ્ટીસ આર એ મહેતાએ લોકાયુકત પદ સ્વીકારવાની અનિચ્છા દર્શાવતા સરકારે હવે નવા લોકાયુકતની નિમણૂંક માટે નવેસરથી પ્રક્રિયા કરવી પડશે. સરકાર નવી નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે. રાજયપાલ તેમની પાસે રહેલા લોકાયુકતના ખરડાને મંજુરી આપે પછી જ સરકાર નવી લોકાયુકતની નિમણૂંક નવા કાયદા મુજબ કરવા માંગે છે.
વર્તમાનમાં લોકાયુકતની નિમણૂંકની જોગવાઇ તથા કાર્યપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરતો ખરડો રાજય સરકારે ગત એપ્રિલમાં મંજૂર કરી રાજયપાલને સહી માટે મોકલી આપ્યો હતો. રાજયપાલે તેના પર કોઇ નિર્ણય જાહેર કર્યો નથી જે તે વખતે સૂચિત નવો કાયદો જસ્ટીસ મહેતાના કિસ્સામાં લાગુ નહિ પડે તેવી સ્પષ્ટતા સરકારે કરી હતી. હવે ખુદ જસ્ટીસ મહેતાએ જ લોકાયુકત પદ સ્વીકારવાની ના પાડી દેતા સમગ્ર પ્રકરણમાં નવો વળાંક આવી ગયો છે. મહેતાએ સાત પાનાના પત્રમાં સરકાર પર આક્ષેપો કર્યા છે તેને ધ્યાને લઇને સરકાર હવે તેમને લોકાયુકત પદ સ્વીકારવા માટે કહેવાના સહેજ પણ મૂડમાં નથી.

વિધાનસભામાં નવા લોકાયુકત અંગેનો ખરડો પસાર થયો ત્યારે સરકારે તેને વધુ વ્યાપક અને પ્રભાવક બનાવવા જોગવાઇ કર્યાનો દાવો કર્યો હતો. જયારે વિપક્ષે સરકાર પોતાને ગમતા વ્યકિતને લોકાયુકત તરીકે મૂકી શકે અને અનુકુળ અહેવાલ મેળવી શકે તેવી જ જોગાવઇ કર્યાનો આક્ષેપ કરેલ. નવો કાયદો અમલમાં આવે તો તેમાં રાજયપાલ, ચીફ જસ્ટીસ વગેરેના બદલે સરકારની જ ભૂમિકા ચાવીરૂપ બની રહે તેવો સમીક્ષકોનો મત છે.
બદલાયેલા સંજોગોમાં રાજયપાલ લોકાયુકત અંગેના ખરડાને મંજુરી આપે તો રાજય સરકારને અનુકુળ લોકાયુકત મૂકવા મોકળુ મેદાન મળી શકે. રાજયપાલ ખરડો પડતર રાખી મૂકી અથવા તેમાંથી કોઇ મુદ્દો ઉઠાવી સરકારને પાછો મોકલે તો સરકારને વધુ સમય (સંસદની ચૂંટણી સુધી) પસાર કરવાની વધુ એક તક મળી શકે. ખરડો જયાં સુધી કાયદાનું સ્વરૂપ મલ્યે ત્યાં સુધી સરકાર હાલની જોગવાઇ મુજબ લોકાયુકત નિયુકત કરવા ઉત્સાહી નથી. અત્યારે સરકાર માટે બન્ને સ્થિતિ ફાયદારૂપ ગણાય છે. એક દસકાથી ખાલી રહેલુ લોકાયુકત પદ હજુ કયાં સુધી ખાલી રહેશે ? તે કોઇ છાતી ઠોકીને કરી શકે તેમ નથી.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
