ગુજરાતમાં સેનાની મદદથી બોરવેલમાંથી કાઢવામાં આવ્યુ 2 વર્ષનુ બાળક
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેતરમાં બે વર્ષનુ બાળક ઉંડા બોરવેલમાં પડી ગયુ હતુ તેને લગભગ 40 મિનિટ પછી બહાર કાઢવામાં આવ્યુ.
સુરેન્દ્રનગરઃ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં એક ખેતરમાં બે વર્ષનુ બાળક ઉંડા બોરવેલમાં પડી ગયુ હતુ તેને લગભગ 40 મિનિટ પછી બહાર કાઢવામાં આવ્યુ. બાળકની હાલત હવે સ્થિર છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે શિવમ દુદાપુર ગામમાં એક મેદાનમાં રમી રહ્યો હતો. તેના માતા-પિતા તે ખેતરમાં કામ કરે છે.
ધ્રાંગધ્રા પ્રશાસનના અધિકારી એમપી પટેલે પત્રકારોને જણાવ્યુ હતુ કે બાળક બોરવેલમાં પડી ગયુ હતુ અને 20-25 ફૂટની ઉંડાઈએ ફસાઈ ગયુ હતુ. જિલ્લા વહીવટીતંત્રને જાણ થતા જ અમદાવાદમાં સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્રે સેના, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની પણ મદદ માંગી હતી.
અધિકારીએ જણાવ્યુ કે ત્યારબાદ સેના, પોલીસ, જિલ્લા વહીવટી કર્મચારીઓ અને ગ્રામજનો પણ ઘટનાસ્થળે પહોંચ્યા. તેઓએ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી અને લગભગ 11.45 વાગ્યે બાળકને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યુ. તેમણે જણાવ્યુ કે બાળકને પહેલા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારી સારવાર માટે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બાળકની હાલત હવે સ્થિર છે.