જનતા ગુજરાત સરકારના કામકાજથી સંતુષ્ટ છે કે નહિ, CSDSના સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
જરાત વિધાનસભા ચૂંટણી પહેલા વર્તમાન સરકારના કાર્યકાળને લઈને એક મોટો સર્વે થયો છે. આ સર્વે લોકનીતિ-સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ(CSDC)દ્વારા કરવામાં આવ્યો છે.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા વર્તમાન સરકારના કાર્યકાળને લઈને એક મોટો સર્વે થયો છે. આ સર્વે લોકનીતિ-સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ(CSDC)દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સર્વેમાં ગુજરાતની જનતા પાસે છેલ્લા 5 વર્ષોમાં રાજ્ય સરકારના પ્રદર્શન વિશે મંતવ્યો માંગવામાં આવ્યા. સીએસડીસી સર્વે મુજબ સર્વેમાં સામેલ લગભગ બે-તૃતીયાંશ લોકોએ કહ્યુ કે તે રાજ્ય સરકારના પ્રદર્શનથી સંતુષ્ટ(સંપૂર્ણપણે અથવા અમુક હદ સુધી) હતા. જ્યારે બાકીના એક-તૃતીયાંશ લોકોએ સરકારના પ્રદર્શન પર અસંતોષ(સંપૂર્ણપણે અથવા અમુક હદ સુધી વ્યક્ત કર્યો.

લોકનીતિ-સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ(CSDS)સર્વેક્ષણ (CSDS-Lokniti Survey 2022)મુજબ, 10 માંથી 3 લોકોએ કહ્યુ - સરકાર બધા માટે કામ કર્યુ. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે ગુજરાતમાં ભાજપની સરકાર દરમિયાન વિકાસ બધા માટે વિકાસ થયો છે, માત્ર અમીર માટે થયો છે કે બિલકુલ નથી થયો - ત્યારે દર 10માંથી માત્ર 3 ઉત્તરદાતાઓએ કહ્યુ કે વિકાસ તમામ વર્ગ માટે થયો છે. વળી, અડધાથી વધુ ઉત્તરદાતાઓએ કહ્યુ કે વિકાસ ફક્ત ધનિકો (52%) માટે થયો છે.

અહીં તમે ઉક્ત સર્વે સાથે સંબંધિત પ્રશ્નો પર લોકોના અભિપ્રાય જાણી શકો છો. સર્વે કરનાર એજન્સી વતી જણાવાયુ છે કે હવે રાજ્ય સરકારની કામગીરીથી સંતુષ્ટ લોકોની સંખ્યામાં ગત વખતની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.













Click it and Unblock the Notifications
