For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના 33માં સ્થાપના દિનની પક્ષ પ્રમુખની હાજરીમાં ભવ્ય ઉજવણી

|
Google Oneindia Gujarati News

modi-rajnath
અમદાવાદ, 6 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીનો આજે 33મો સ્થાપના દિવસ છે. ગુજરાત ભાજપ એકમ આ પ્રસંગ નિમિત્તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે સાંજે પાંચ વાગ્યે ભાજપના કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાવાનું છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ ભાષણ કરશે. જેના ભાગરૂપે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ એરપોર્ટ પર પહોંચી ગયા છે અને તેમનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટ પરથી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચશે, જ્યાં ઉપસ્થિત પાર્ટીના કાર્યકરોને સંબોધશે.

એરપોર્ટ પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફુલહારથી સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં મોદી અને રાજનાથ વચ્ચે ગુપ્ત મંત્રણા મળી છે. આ તકે સરદાર પટેલની પ્રતિમાની પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી છે. સ્ટેડિયમ ખાતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપ દ્વારા રાજનાથ સિંહનું સમ્માન કરવામાં આવશે. આ મહાસંમલેનમાં ગુજરાતભરમાંથી હજારો કાર્યકર્તાઓ ભાગ લે એવી ધારણા છે. રાજનાથ સિંહ ઉપરાંત આ મહાસંમેલનમાં અમિત શાહ અને આર.સી. ફળદુનું પણ સમ્માન કરવામાં આવશે. અમિત શાહને ભાજપના નવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ફળદુ ગુજરાત ભાજપના પ્રમુખપદે ફરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

<center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/whpyYW52cbk" frameborder="0" allowfullscreen></iframe></center></center>

English summary
Gujarat BJP will celebrate Establishment Day today in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X