For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે ગુજરાત ભાજપ અમદાવાદમાં સ્થાપનાદિન ઉજવશે

|
Google Oneindia Gujarati News

gujarat-bjp
અમદાવાદ, 6 એપ્રિલ : ભારતીય જનતા પાર્ટીનો આજે 33મો સ્થાપના દિવસ છે. ગુજરાત ભાજપ એકમ આ પ્રસંગ નિમિત્તે અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં આજે સાંજે પાંચ વાગ્યે ભાજપના કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાવાનું છે. તેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથ સિંહ ભાષણ કરશે.

ગુજરાત ભાજપ દ્વારા રાજનાથ સિંહનું સમ્માન કરવામાં આવશે. આ મહાસંમલેનમાં ગુજરાતભરમાંથી હજારો કાર્યકર્તાઓ ભાગ લે એવી ધારણા છે. રાજનાથ સિંહ ઉપરાંત આ મહાસંમેલનમાં અમિત શાહ અને આર.સી. ફળદુનું પણ સમ્માન કરવામાં આવશે. અમિત શાહને ભાજપના નવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે ફળદુ ગુજરાત ભાજપના પ્રમુખપદે ફરી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

ગુજરાત ભાજપના પ્રવક્તા જગદીશ ભાવસારના જણાવ્યા અનુસાર, પક્ષના પ્રમુખપદે નિયુક્ત કરાયા બાદ રાજનાથ સિંહ આ પહેલી જ વાર ગુજરાત આવી રહ્યા છે. એરપોર્ટ પર એમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. તે વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને આર.સી. ફળદુ હાજર રહેશે.

મહાસંમેલનમાં પાર્ટીના કાર્યકર્તાઓ આગામી લોકસભા ચૂંટણીમાં કેન્દ્રમાંથી કોંગ્રેસની સરકારને હટાવી ભાજપની સરકારની સ્થાપના કરાવવાની પ્રતિજ્ઞા લેશે.

English summary
Gujarat BJP will celebrate Establishment Day today in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X