ગુજરાતના મુખ્યમંત્રીએ ઝારખંડના મુખ્યમંત્રીને આપી શુભેચ્છાઓ
અમદાવાદ, 29 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના નેતા રઘુવર દાસે રવિવારે ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રઘુવર દાસને મુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

આનંદીબહેને જણાવ્યું કે રઘુવર દાસના મુખ્યમંત્રી પદના કાર્યકાળમાં હવે ઝારખંડ પણ વિકાસ અને પ્રગતિ કરીને, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના એક ભારત-શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરશે તેવી આશા વ્યક્ત કરી છે.

રઘુવર દાસના શપથ ગ્રહણ સમારંભમાં દિગ્ગજ નેતાઓની હાજરી રહેવાની હતી, ખરાબ હવામાનના કારણે તેઓ આવી શક્યા નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગહમંત્રી રાજનાથી સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ ઐતિહાસિક પ્રસંગમાં હાજરી આપી શક્યા નહીં.
મોદી કર્યું ટ્વિટ
નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટર પર લખ્યું કે 'હું રઘુવર દાસને ઝારખંડના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લેવા બદલ શુભેચ્છા પાઠવું છું. હું શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લઇને ઝારખંડની યાત્રા કરવાનો હતો, પરંતુ ખરાબ હવામાનના કારણે હું ત્યાં આવી શક્ય નહીં.'

નોંધનીય છે કે મુખ્યમંત્રી રઘુવરદાસ પહેલા બિન આદીવાસી સમુદાયના વ્યક્તિ છે. જે રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે. જમશેદપુર પૂર્વથી પાંચવાર વિધાયક રહેલા રઘુવર દાસ(60) ઝારખંડના 10માં મુખ્યમંત્રી છે. રઘુવર દાસની સાથે અન્ય ચાર મંત્રીઓ પણ આજે શપથ ગ્રહણ કર્યા.
ઉલ્લેખનીય છે કે ઝારખંડની 81 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ તથા ગઠબંધન પાર્ટી ઓલ ઝારખંડ સ્ટૂડેંટ યૂનિયનને બહુમતી હાસિલ થઇ છે. ભાજપાએ 37 બેઠકો, જ્યારે એજેસીએ પાંચ બેઠકો જીતી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ










Click it and Unblock the Notifications
